લોકસભામાં ગુરુવારે સભ્યોએ મોડી રાત સુધી બેસીને રેલવેની અનુદાન માંગો પર ચર્ચા પૂરી કરી, સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો.
લોકસભાની કાર્યવાહી ગુરુવારે બપોરથી શરૂ થઇને રાતે 11:58 વાગ્યા સુધી ચાલી. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી પ્રમાણે લોસભામાં છેલ્લા 18 વર્ષમાં પહેલી વખત અડધી રાત સુધી ચર્ચા ચાલી. એ દરમિયાન 2019 20 માટે રેલ મંત્રાલય માટે અનુદાનોની માગો પર ચર્ચા ચાલી. કોંગ્રેસ, તૃણમુલ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકાર પર રેલવેને ખાનગી હાથમાં વેચવાનો આરોપ લગાવ્યો.
વિપક્ષ પ્રમાણે સરકાર સામાન્ય બજેટમાં રેલવે સાર્વજનિક ખાનગી ભાગીદારી, ઇનકોર્પોરેશન અને વેંચાણ પર જોર આપવાની આડમાં ખાનગીકરણ તરફ લઇ જઇ રહી છે. સરકારની ઇચ્છા રેલવેને ખાનગી હાથમાં આપવાની છે. સરકારને મોટા વાયદા કરવાની જગ્યાએ રેલવેની નાણાંકીય સ્થિતિ સુધારવી જોઇએ. વિપક્ષે એનડીએ સરકાર પર લોકોને બુલેટ ટ્રેન જેવા ખોટા સપના દેખાડવાનો પણ આરોપ લગાવ્યો છે.
S Angadi, MoS Railways on Parliament functioning till midnight: Railways is like a family that takes everyone together & satisfies everyone, all members gave good suggestions. Railways has changed since PM Modi came, what Vajpayee ji did for roads, Modi ji is doing for railways. pic.twitter.com/9QkiHX1sqg
વિપક્ષના આરોપોના જવાબમાં ભાજપ સાંસદ સુનીલ કુમાર સિંહે આપ્યો. એમને કહ્યું કે કોંગ્રેસ શાસનની સરખામણીએ આ વખતે રેલવેનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. નેશનલ ટ્રાન્સપોર્ટર્સે નવા નિયમ સ્થાપિત કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં રેલ દુર્ઘટનામાં પણ 73 ટકા જેટલો ઘટાડો થયો છે. લોકસભાની કાર્યવાહીમાં આશરે 100 સભ્યોએ ભાગ લીધો અને પોતપોતાના ક્ષેત્રોથી જોડાયેલા વિષયો ઊઠાવ્યા હતા.