મોદી સરકારમાં બીજા કાર્યકાળના બે વર્ષ પૂરા થતાં પહેલી વાર કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. સાથે જ આગામી વર્ષમાં જે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની અસર પણ આ કેબિનેટ વિસ્તરણમાં પડી શકે છે.
કયા કયા નેતાઓને હટાવી શકાય છે
મોદી સરકારમાં બીજા કાર્યકાળના બે વર્ષ પૂરા થતાં પહેલી વાર કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. સાથે જ આગામી વર્ષમાં જે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની અસર પણ આ કેબિનેટ વિસ્તરણમાં પડી શકે છે.
દેબોશ્રી ચૌધરી
સૂત્રોના જણાવ્યા મુજબ, દેબોશ્રી ચૌધરીને કેન્દ્રીય કેબિનેટમાંથી હટાવી શકાય છે. તેઓ પશ્ચિમ બંગાળમાં સાંસદ છે. માનવામાં આવે છે કે PM મોદીએ તેમની પાસે રાજીનામું માંગ્યું છે. દેબોશ્રી ચૌધરી પાસે રાજીનામું થાવરચંદ બાદ આ બીજું નામ હશે, જેને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવશે.
રમેશ પોખરીયલ નિશંક
જાણકારી અનુસાર, રમેશ પોખરીયલ નિશંકની સ્વાસ્થ્યની તકલીફને કારણે હવે તેમને પણ કેબિનેટમાંથી હટાવવામાં આવી રહ્યા છે. કોરોનાનો શિકાર થયા બાદ તેમનું સ્વાસ્થ્ય હાલ સારું નથી ટે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સદાનંદ ગૌડા
આ બંને નામો બાદ સદાનંદ ગૌડાનું પણ રાજીનામું માંગવામાં આવ્યું છે. તેઓ હાલ રસાયણ અને ઊર્વરક્ષક મંત્રી હતા, પણ હવે તેમને આ પદ પરથી હટાવી શકાય છે. માનવામાં આવે છે કે કર્ણાટકમાં રાજકીય ઉથલ પાથલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ આજે સાંજે 6 વાગ્યે થશે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. સાથે જ આગામી વર્ષમાં જે જે રાજ્યોમાં વિધાનસભાન ચૂંટણી થવાની છે તેની અસર પણ આ કેબિનેટ વિસ્તરણમાં પડી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ, અજય ભટ્ટ, કપિલ પાટિલ, શાંતનુ ઠાકુર, પશુપતિ પારસ, નારાયણ રાણે, મીનાક્ષી લેખી, શોભા કરાંડલજે, અનુપ્રિયા પટેલ, હિના ગાવીત, અજય મિશ્રા PM આવાસ પર પહોંચી ગયા છે.
ગુજરાતથી કિરીટ સોલંકી પહોંચ્યા દિલ્હી
પીએમ મોદીના બીજા કાર્યકાળનો આ પહેલો મંત્રી પરિષદ વિસ્તાર થવાનો છે. ત્યારે ગુજરાતના 2 નેતાઓના નામ પણ નવા મંત્રી મંડળમાં ચર્ચામાં છે, જેમાં ગુજરાતમાંથી સાંસદ કિરીટ સોલંકી તથા સાંસદ જુગલ ઠાકોરનો સમાવેશ કરવામાં આવી શકે છે. તો સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે, કિરીટ સોલંકી દિલ્હી પહોંચ્યા છે.
ઓબીસી વર્ગથી કુલ 24 મંત્રી રહેશે
મીડિયા સૂત્રોના જણાવ્યાનુસાર પછાત વર્ગના કુલ મળીને 24 મંત્રીઓને જગ્યા મળશે. આની પાછળની યોજના નાના સમુદાયોને પ્રતિનિધિત્વ આપવાની છે.
ગુજરાતના નેતાને લોટરી લાગે તેવી અટકળો!
હાલના મંત્રીઓમાંથી કેટલાક નેતાઓને પ્રમોશન આપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પ્રમોશન નેતાઓમાં 3 નેતાઓના નામ આગળ છે. એમ ચર્ચાઇ રહ્યું છે કે પરષોત્તમ રૂપાલાનું મંત્રી મંડળમાં કદ વધશે. ગુજરાતથી પરષોત્તમ રૂપાલાને મંત્રી મંડળમાં પ્રમોશન અપાશે.
અનુરાગ ઠાકુર અને જી કિશન રેડ્ડીનું મંત્રી મંડળમાં કદ વધશે સાથે જ અનુરાગ ઠાકુરને રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર પ્રભાર અપાશે, આ નિર્ણય એ માટે લેવાય શકે છે કારણકે હિમાચલમાં આગામી ચૂંટણીમાં તેની અસર પડે.