WHOના પ્રમુખે કોરોનાને લઇને એવું નિવેદન આપ્યું છે કે, એકવાર ફરી સમગ્ર વિશ્વભરના લોકોના ટેન્શનમાં વધારો થયો છે.
કોરોનાથી થતા મોતને લઇ WHOનું ચોંકાવનારું નિવેદન
વિશ્વભરમાં કોરોનાથી મોતની સંખ્યામાં 35 ટકાનો વધારો
આપણે કંટાળી ગયા પરંતુ આ વાયરસ નથી થાક્યો: WHO
સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે છેલ્લા ચાર સપ્તાહમાં વિશ્વભરમાં કોરોના મહામારીથી મોતની સંખ્યામાં 35 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. તેને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ડૉક્ટર ટેડ્રોસે (Tedros Adhanom Ghebreyesus) વિશ્વભરના લોકો માટે એક વીડિયો મેસેજ રજૂ કરીને લોકોને ચેતવ્યા છે.
Learning to live with #COVID19 doesn't mean we pretend it’s not there. It means we use all the tools we have to protect ourselves, and protect others. pic.twitter.com/Lu2Fs40ckV
આ સતત ત્રીજું વર્ષ છે કે જ્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક ચિંતાજનક વિષય બની ગયો છે. કોરોનાને લઇને મહામારીના નિષ્ણાંતો અને નેતાઓ વારંવાર એવું કહી રહ્યાં છે કે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે. જે મુદ્દે ટેડ્રોસે કહ્યું કે આપણે એવું ન માનવું જોઈએ કે બીમારી ખતમ થઇ ગઇ. આનાથી પોતાના અને બીજાના બચાવ માટે આપણે હંમેશા સાધનોથી સજ્જ રહેવું પડશે. ઘેબ્રેયસસે પોતાના તાજેતરના જ મેસેજમાં કહ્યું હતું કે, 'આપણે બધા કોરોના વાયરસ અને મહામારીથી કંટાળી ગયા છીએ પરંતુ આ વાયરસ હજુ સુધી નથી થાક્યો.'
Omicron હજુ પણ મુખ્ય વેરિઅન્ટ
કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ હજુ મુખ્ય વેરિઅન્ટ તરીકે યથાવત છે. છેલ્લા એક મહિનામાં 90 ટકાથી વધુ નમૂનાઓમાં BA.5 સબ સ્ટ્રેન મળી આવ્યા છે. પોતાના વીડિયો સંદેશમાં WHOના ચીફે કહ્યું કે- 'એકથી ચાર અઠવાડિયામાં 15,000 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સંખ્યા અસહ્ય છે, કારણ કે આપણી પાસે સંક્રમણને અટકાવવા અને જીવન બચાવવા માટેના તમામ સંસાધનો છે. આપણામાંથી કોઈ લાચાર નથી. દરેક વ્યક્તિએ રસી લેવી જોઇએ અને જો જરૂરી હોય તો બૂસ્ટર ડોઝ પણ લઇ લેવો જોઇએ. માસ્ક પહેરો અને સુરક્ષિત શારીરિક અંતર જાળવો.'
Delhi | Precaution dose necessary. Covid-19 still there, has risen in past few days. All precautions necessary, masks & social distancing crucial. Corbevax vaccine approved for precaution dose for heterologous or mix-match option: Dr VK Paul, Member Health, NITI Aayog pic.twitter.com/3OYNqXW5qo
અત્યાર સુધીમાં 59 કરોડો લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે
કોરોના મહામારીથી અત્યાર સુધીમાં વિશ્વભપમાં 59 કરોડથી પણ વધારે લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે. આ દરમ્યાન 64 લાખથી પણ વધારે લોકોના મોત નિપજ્યાં છે. અમેરિકામાં સૌથી વધારે 9.3 કરોડથી વધારે લોકો સંક્રમિત થયા છે. જ્યારે ભારતમાં અંદાજે 4.4 કરોડ લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે.