શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા. જેમાં 290 લોકોનાં મોત થયા છે જેમા 6 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 290 થઈ છે. શ્રીલંકામાં ગઇકાલે થયેલા આ બ્લાસ્ટમાં 500 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ બાદ કોલંબોમાં રજાઓ માણવા ગયેલા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર (JDS)ના નેતાઓ પણ ગુમ બતાવાઈ રહ્યા છે અને આ નેતાઓ સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
આ બ્લાસ્ટ કેસ મામલે 26 જેટલા શંકાસ્પદ શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે, આ બ્લાસ્ટની હજુ સુધી કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી પણ વિદેશી મીડિયામાં આતંકી સંગઠન નેશનલ તૌહિથ જમાત હાલ શંકાના ઘેરામાં છે.
શ્રીલંકામાં રવિવારે એક બાદ એક 8 સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં કેટલાય વિદેશીઓ સહિત 290 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ બ્લાસ્ટ બાદ કોલંબોમાં રજાઓ માણવા ગયેલા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર (JDS)ના નેતાઓ પણ ગુમ બતાવાઈ રહ્યા છે અને આ નેતાઓ સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલી માટે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ આ નેતાઓ રજાઓ માણવા શ્રીલંકા ગયા હતા. અહીં નોંધનીય બાબત એ છે કે શ્રીલંકાની જે શંગરી-લા હોટલમાં બ્લાસ્ટ થયો તેમાં જ નેતાઓ રોકાયેલા હતા.
તમને જણવી દઈએ કે ઈસ્ટર સંડેના અવસરે ચર્ચ અને હોટલોમાં થયેલા બ્લાસ્ટથી 290 લોકોના મોત થયા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કોલંબોમાં ભારતીય એમ્બેસીના ટ્વીટને રિટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં કહેવાયું હતું કે, અમને ખૂબ દુઃખ સાથે કાલે થયેલા હુમલામાં બે લોકો કે.જી હનુમંતરાયપ્પા અને એમ. રંગયપ્પાના નિધનની પુષ્ટિ કરીએ છીએ.
તમને જણાવી દઇએ કે, આ હુમલા બાદ અફવાઓથી બચવા માટે સાવચેતીના પગલારૂપે શ્રીલંકામાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે ગઇકાલે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દેશમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. એવું પણ સામે આવ્યું છે કે, તૌહિથ જમાતનો એક ભાગ તમિલનાડુમાં પણ સક્રિય છે. જેનું નામ તમિલનાડુ તૈહિથ જામાત છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના મુખ્ય અધિકારીએ 10 દિવસ પહેલા જ હુમલા મામલે અલર્ટ જાહેર કર્યુ હતુ કે, દેશભરમાં આવેલા મુખ્ય ચર્ચમાં હુમલો થઈ શકે છે. આત્મઘાતી બોમ્બનો આવિષ્કાર દશકો પહેલા તમિલ ઈલમના લિબરેશન ટાઈગર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. નેશનલ તૌહિથ જમાત એક ઈસ્લામી ચરમપંથી સંગઠન છે. જે વર્ષ 2014માં સામે આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે આજરોજ શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પાસેથી બોમ્બ મળી આવ્યો છે ત્યારે પોલીસે બોમ્બને નિષ્ક્રિય કરી દીધો છે. ગતરોજ શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા ત્યારે આજે વધુ એક બોમ્બ મળી આવતા પોલીસ સતર્ક બની છે. શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા. જેમાં 290 લોકોનાં મોત થયા છે જેમા 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતના 6 વિસ્ફોટ લગભગ એક જ સમયે સવારે 8-45 વાગ્યે થયા હતા. જ્યારે બાકીના બે વિસ્ફોટ બપોરે બેથી અઢી વચ્ચે કોલંબોમાં થયો. 2009માં શ્રીલંકામાં LTTE તમિલ વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમનો ખાતમો થઈ ગયો હતો, જે બાદનો આ સૌથી મોટો હુમલો હતો.