દિલ્હીના રસ્તા પર 6 કલાક સુધી માતા પિતા અઢી વર્ષના બાળકની સારવાર માટે એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલના ચક્કર કાપતા રહ્યા. સારવાર ન મળતા બાળકનું મોત થયું.
6 કલાક સુધી માતા પિતા બાળકની સારવાર માટે રઝડતા રહ્યા
અઢી વર્ષના માસૂમને ક્યાંય પણ સારવાર ન મળતા મોત
એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પુરો થઈ ગયો બાળકે ત્યાં દમ તોડી નાંખ્યો
દિલ્હીમાં સરકારી હોસ્પિટલની એક ડરાવની ઘટના
રાજધાની દિલ્હીમાં સરકારી હોસ્પિટલની એક ડરાવની ઘટના સામે આવી છે. જ્યાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. હકિકતમાં મજનુના ટીલા વિસ્તારમાં રહેનારા દંપત્તિનુ અઢી વર્ષનું બાળક ચૌથા માળથી અચાનક પડી ગયુ હતુ. ગભરાયેલા માતાપિતા બાળકને સિવિલ લાઈન સ્થિત ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરોની ટીમે 10 મિનિટ સુધી બાળકની સારવાર કરી બાદમાં તેને એમ્સ ટ્રોમા સેન્ટરમાં રિફર કરી દીધું એમ કહીને કે તેમની પાસે વેન્ટિલેટર નથી.
અઢી વર્ષના માસૂમ બાળકને લઈને રખડ્યુ
માતા પિતા એમ્બ્યુલન્સમાં અઢી વર્ષના માસૂમ બાળકને લઈને પહેલા સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરે બાળકના માતા પિતાને આમ તેમ ઘૂમાવ્યા અને આખરે કહ્યું કે બેડ ખાલી નથી અને એમ્સ જવા કહ્યુ. હેરાન માતા પિતા બાળકને એમ્સ લઈ ગયા જ્યાં બેડ ખાલી ન હોવાનો હવાલો આપ્યો અને એમ્સ ટ્રોમાં સેન્ટરમાં મોકલી દેવાયા. એ બાદ એમ્સથી પરિવારજનો બાળકને આરએમએલ હોસ્પિટલ લઈ ગયા. આરએમએલમાં ડોક્ટર પરિવાર જનોને હેરાન કરતા રહ્યા. બીજી હોસ્પિટલમાં લઈ જવા કહ્યુ. આ બાદ બાળકના માતા પિતા દિલ્હીના એલએનજેપી હોસ્પિટલ લઈ ગયા ત્યાં આઈસીયુ બેડ ન મળ્યો.
એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પુરો થઈ ગયો બાળકે ત્યાં દમ તોડી નાંખ્યો
દિલ્હીના રસ્તા પર 6 કલાક સુધી માતા પિતા બાળકની સારવાર માટે એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલના ચક્કર કાપતુ રહ્યુ. પરંતુ અઢી વર્ષના માસૂમને ક્યાંય પણ સારવાર ન મળી. આખરે જ્યારે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પુરો થઈ ગયો બાળકે ત્યાં દમ તોડી નાંખ્યો. રાજધાની જેવી જગ્યાએ બાળકને સારવાર ન મળતા અનેક ગંભીર સવાલ ઉભા થયા છે. બાળકને સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું છે.