અફઘાનિસ્તાનમાં એક ધાર્મિક સભા દરમિયાન આત્મઘાતી હુમલો થતા 50થી વધુ લોકોનાં મોત થયા છે. તો 80થી લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી 20 લોકોની હાલત અતિ નાજુક છે અને મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે.
પ્રાપ્ત વિગતો મુજબ આતંકીઓએ કાબુલમાં યોજાયેલા પયંગબર મોહમ્મદના જન્મદિવસની ઉજવણી દરમિયાન આ બ્લાસ્ટ કર્યો. આ કાર્યક્રમમાં એકત્રિત થયેલા ઉલેમા કાઉન્સિલના સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે.
કાબુલના આ હુમલા બાદ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાને પણ સંવેદના વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે તાલિબાન છેલ્લા કેટલાક મહિનાઓથી લગભગ રોજ અફઘાનિસ્તાનમાં હુમલો કરી રહ્યું છે. જેના પગલે અફઘાનમાં કફોડી સ્થિતિ છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ ફરી બ્લાસ્ટ થયો છે. છેલ્લા કેટલાક મહિનાનો આ સૌથી મોટો બ્લાસ્ટ છે. સ્વાસ્થમંત્રીએ જણાવ્યું કે આ બ્લાસ્ટ તેજ હતો. આ બ્લાસ્ટમાં 60થી વધારે લોકોને ઇજા પહોંચી હોવાનું પ્રાથમિક અહેવાલમાં પ્રાપ્ત થયું હતું.
પ્રાથમિક અહેવાલ મુજબ આ આત્મઘાતી હૂમલો હતો. પેંગબર મોહમ્મદ સાહેબના જન્મદિવસના અવસર પર એક વિવાહ હોલમાં આયોજીત ઉલેમા પરિષદની એક સભાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો.