અમેરિકામાં મોતનો આંકડો 60 હજારને પાર થઈ ગયો છે. હાલ અમેરિકામાં 61,669 મોત છે. અમેરિકામાં 24 કલાકમાં 2403 ના મોત તો 28807 કોરોનાગ્રસ્ત થયા છે. હાલ 1,064,572 લોકો કોરોનાગ્રસ્ત છે. અમેરિકામાં અત્યાર સુધામાં 147,411 લોકો સાજા થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 855,492 છે. ત્યારે હવે એવું બહાર આવ્યું છે કે સીઆઈએ અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઘણી વાર આ સમસ્યાથી અવગત કરાવ્યા હતા અને 12 ચેતવણી પણ જાહેર કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેમની અવગણના કરવામાં આવી હતી. તો સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) એ અહેવાલ આપ્યો છે કે યુ.એસ.ના 7 રાજ્યોમાં છેલ્લા પાંચ અઠવાડિયા દરમિયાન થયેલા મોતની સંખ્યા વાસ્તવિક સંખ્યા કરતા 50૦% ઓછી દર્શાવવામાં આવી છે.
ગુપ્તચર એજન્સીઓએ ટ્રમ્પને આ અંગે અગાઉ જાણ કરી દીધી હતી
અમેરિકાના વિદેશ મંત્રી ભારતની મદદનો જસ ખાંટી રહ્યા છે
અમેરિકામાં 24 કલાકમાં 2403 ના મોત
યુ.એસ. માં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે, જેના માટે ટ્રમ્પ ઘણું આયોજન કરવામાં વ્યસ્ત છે. પરંતુ રાષ્ટ્રવાદી યોજનાઓને બાજુ પર રાખીને હવે તેણે પોતાનું સમગ્ર ધ્યાન ચૂંટણી તરફ કેન્દ્રિત કર્યું છે. ત્યાં સુધી કે તેઓએ મેક્સિકોની દિવાસ પણ એક બાજુ મૂકી દીધી. ત્યારે અમેરિકાની હાલની તથા ભૂતપૂર્વ ગુપ્તચર સીઆઈએ અધિકારીઓએ ચીનમાં કોરોના ફેલાયા બાદ વર્ષની શરુઆતમાં જ રાષ્ટ્રપતિને ચેતવણી આપવાનું શરૂ કર્યુ હતું.
અધિકારીઓએ વોશિંગ્ટન પોસ્ટને કહ્યું હતું કે ટ્રમ્પે તેમની ચેતવણીઓની સતત અવગણી હતી. આજે તેનું પરિણામ અમેરિકનો ભોગવી રહ્યા છે. યુ.એસ.માં ચેપ ફાટી નીકળ્યા પછી ટ્રમ્પે ચીન પર એજ તથ્યોના આધારે આરોપ લગાવ્યા છે. ઉલ્લેખની છે કે કે 31 ડિસેમ્બરે ચીને સૌ પ્રથમ ડબ્લ્યુએચઓને વાયરસ વિશે જણાવ્યું હતુ.
ભારત-અમેરિકાના સહકાર પર ભાર મુકતા, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ બુધવારે કહ્યું હતું કે કોરોના વાયરસથી વિશ્વમાં વિનાશ સર્જાયો છે, તેથી ટ્રમ્પનું વહીવટતંત્ર ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન જેવા દેશો સાથે મળીને વાયરસ અંગેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને માહિતી શેર કરવા માટે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં યુ.એસ.એ કરેલા કામોને લઈને ગર્વ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકન સરકારે કોવિડ -19 સાથે વ્યવહાર કરવા માટે પ્રશાંત મહાસાગરમાં ટાપુ દેશોને 32 મિલિયન ડોલરથી વધુની સહાય આપી છે. તેમણે કહ્યું કે અમે બર્મામાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે બર્માની સરકાર, સંયુક્ત રાષ્ટ્ર, એનજીઓ અને અન્ય સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
પોમ્પિયોએ કહ્યું કે કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા મહત્વપૂર્ણ તબીબી પુરવઠા પર નિકાસ પ્રતિબંધ હટાવવા ભારતનું ધ્યાન દોર્યુ હતું. પોમ્પેએ કહ્યું કે અમારી વાટાઘાટોમાં ચોક્કસપણે વૈશ્વિક સપ્લાય ચેઇન શરુ કરવા, તેન ચલાવવા અને આપણી અર્થવ્યવસ્થાને સંપૂર્ણ શક્તિ સાથે પાછી ટ્રેક પર લાવવા બાબતનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે આપણે ભવિષ્યમાં આવી ઘટનાને ટાળી શકાય એમ વિચારીને આ સપ્લાય ચેનનું પુનર્ગઠન કરવું જોઈએ. અમારા કાર્યનું ઉદાહરણ ભારત સાથે છે. તેણે કોવિડ -19 દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક દવાઓ સહિત મહત્વપૂર્ણ તબીબી પુરવઠો પર નિકાસ પ્રતિબંધ હટાવ્યો. તેમણે કહ્યુ કે પુરર્વઠાની પૂર્તિની ચેઈનનું પુનર્ગઠન કરવું જોઈએ. આ પ્રકારની પ્રક્રિયાથી ભવિષ્યમાં બચી શકાય છે. અમારા કામનું એક ઉદાહરણ ભારત સાથે છે.