બિહાર અને અસમ રાજ્યમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિમાં લાખોની સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.
આ બંને રાજ્યોમાં બુધવાર સુધી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 94 થઇ ગઇ છે. બિહારમાં 12 જિલ્લામાં 46.83 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 67 લોકોની મૃત્યુ થયા છે. એકલા સીતામઢીમાં 17 અને મધુબનીમાં 11 લોકો મૃત્યુ પામ્યા છે. તો અસમમાં 29 જિલ્લાના 57 લાખથી વધારે લોકો પૂરની ચપેટમાં આવ્યા છે અને 27 લોકોએ જીવ ગુમાવ્યો છે.
અસમના હવામાન વિભાગ અનુસાર, બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ ગુવાહાટી સહિત રાજ્યના ઘણા જિલ્લામાં ખતરાના નિશાન કરતા ઉપર વહી રહી છે. રાજ્યમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે રાહત અને બચાવ માટે 251.55 કરોડની સહાય કરવાની રાશિ જારી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સંર્બાનંદ સોનોવાલની સાથે વાત કરી અને તમામ મદદ માટે આશ્વાસન આપ્યુ છે.
અસમમાં 1.50 લાખ લોકો થયા બેઘર:
અસમના દુબરીના આસિસ્ટન્ટ જેલર કહ્યુ કે, જિલ્લાની જેલમાં પણ પાણી ભરાઇ ગયુ છે. ડીસીપીના આદેશ પર 409 કેદીઓ અસ્થાયી રીતે ગર્લ્સ કૉલેજ પર સ્થાળાંતર કરવામાં આવ્યુ છે. 1.50 લાખથી વધુ લોકો બેઘર થયા છે. પ્રશાસને તમામ માટે 427 રાહત કેમ્પ અને 392 રાહત સામગ્રી વિતરણ કેન્દ્ર લગાવ્યા છે.
બિહારના સીતામઢીની સૌથી ગંભીર સ્થિતિ:
બિહારના સીતામઢીમાં 17, અરરિયામાં 12, મધુબનીમાં 11, શિવહરમાં 9, પૂર્ણિયામાં 7, દરભંગામાં 5, કિશનગંજમાં 4 અને સુપૌલમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. સૌથી ગંભીર સ્થિતિ સીતામઢીની છે, જ્યાં 176 પંચાયતોની 17 લાખની વસ્તી પૂરથી પ્રભાવિત છે. અરરિયામાં નૌ પ્રખંડોની 124 પંચાયતો જળમગ્ન થઇ છે. જ્યાં 9.24 લાખ લોકોએ પૂરની ચપેટમાં આવ્યા છે.
હાલમાં 1.14 લાખ લોકોનુ 137 રાહત શિબિરમાં સ્થાળંતર કરવામાં આવ્યુ છે. પ્રભાવિત જિલ્લામાં NDRF અને SDRAFની 26 ટીમને રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે.
બોલિવુડ સેલેબ્સે કરી મદદ:
અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યુ, ''અસમમાં પૂરથી થયેલી તબાહીની વિશે જાણીને દુખ થયુ. પૂરથી પ્રભાવિત તમામ વ્યકિત અને જાનવરોની તત્કાલ મદદ માટે અપીલ કરુ છું. હું સીએમ રિલીફ ફંડ અને કાંઝીરંગા પાર્કના બચાવ માટે 1-1 કરોડ રૂપિયાનું દાન કરુ છુ અને તમને પણ મદદ કરવા માટે અરજી કરુ છું.''
Absolutely heartbreaking to know about the devastation by floods in Assam.All affected, humans or animals,deserve support in this hour of crisis.I’d like to donate 1cr each to the CM Relief Fund & for Kaziranga Park rescue.Appealing to all to contribute @CMOfficeAssam@kaziranga_
પ્રિયંકા ચોપરાએ પણ અસમ પૂર પીડિતોને મદદ કરવાની અપીલ કરી છે. પ્રિયંકાએ ટ્વીટ કરતા લખ્યુ કે, ''અસમ અને દેશના બીજા ભાગની સ્થિતિથી ચિતિંત છું. મારી પ્રાર્થનાઓ તેમની સાથે છે, જેઓ પ્રભાવિત થયા છે.''
Extremely devasted by all the news coming in from #Assam and other parts of India.
It’s heartbreaking to read about the displacement and loss of life. My prayers with those affected.