છેલ્લા 2 દિવસમાં 9 બાળકોના મોત થવાના કારણે રાજસ્થાનની કોટાની જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા 100ને પાર પહોંચી છે. બાળકોના મોતને લઈને રાજનીતિ થઈ રહી છે. વિપક્ષી પાર્ટી ભાજપે રાજસ્થાન સરકાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા છે.
રાજસ્થાનના કોટાની હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો
બાળકોના મોત પર રાજનીતિ, ભાજપનો કોંગ્રેસ પર હલ્લાબોલ
જેકે લોન હોસ્પિ.માં વધુ 9 બાળકોના મોત સાથે સંખ્યા 100ને પાર
ભાજપના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવીયાએ કહ્યું કે 1 મહિનામાં 100 બાળકોના મોત સામાન્ય વાત નથી. બીએસપી ચીફ માયાવતીએ પણ ગેહલોત સરકાર પર અને સાથે જ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું છે. રાજ્ય સરકારે આ મોતને લઈને સ્પષ્ટતા કરી છે. રાજ્યના સ્વાસ્થ્યમંત્રી રઘુ શર્માએ કહ્યું કે અનેક બાળકોને ગંભીર સ્થિતિમાં અહીં લાવવામાં આવ્યા હતા.
Delhi: Rajasthan Congress incharge Avinash Pandey has reached 10 Janpath to meet Congress Interim President Sonia Gandhi, following deaths of infants in Kota's J K Lone Hospital (file pics) pic.twitter.com/jl31WhMQyB
હોસ્પિટલે જણાવ્યું કે ડિસેમ્બર 2018માં આ હોસ્પિટલમાં 77 બાળકોના મોત થયા હતા. હોસ્પિટલથી મળતી માહિતી અનુસાર 30 ડિસેમ્બરે 4 બાળકો અને 31 ડિસેમ્બરે 5 બાળકોના મોત થયા હતા. તેઓએ તેની પાછળનું કારણ આપતાં કહ્યું કે દરેક બાળકોના મૃત્યુ ઓછા વજનના કારણે થયા છે. આટલી મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુને લીને ભાજપે પ્રદેશની ગેહલોત સરકારની વિરુદ્ધમાં પ્રદર્શન શરૂ કર્યું છે.
કોટા એટલું દૂર નથી કે સોનિયા અને રાહુલ ગાંધી ન આવી શકે
ભાજપના અમિત માલવિયાએ ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે એક મહિનામાં 100 નવજાત શિશુઓના મોત થયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રીને કોઈ પ્રશ્નો પૂછવામાં આવતા નથી. કોટા એટલું પણ દૂર નથી કે સોનિયા અને રાહુલ ગાંધી ત્યાં જઈ ના શકે અને આ ઘટના એટલી પણ સામાન્ય નથી કે મીડિયા કોંગ્રેસ સરકારની આ બેદરકારી પર આંખ બંધ કરી દે.
Rajasthan Health Minister, Raghu Sharma on infant deaths in Kota: We are saddened by this, our responsibility is to give clinical support, several children were brought with critical ailments. BJP can audit if they want, we saved all the children who were in condition to be saved pic.twitter.com/iI1RHtt5H7
રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કોટામાં નવજાત બાળકોના મોતને લઈને કહ્યું કે અમને આ મૃત્યુનું દુઃખ છે. અમારી જવાબદારી સારી સુવિધા મેળવવાની હોય છે. અનેક બાળકો અત્યંત ગંભીર સ્થિતિમાં લાવવામાં આવ્યા હતા. જો ભાજપ ઈચ્છતી તો તેનો લાભ લઈ શકતી. જે પણ બાળકો બચી શકે તેવી સ્થિતિમાં હતા તેમને બચાવવામાં આવ્યા છે.
પ્રિયંકા અને ગેહલોત પર ભડકી માયાવતી
બીએસપીની પ્રમુખ માયાવતીએ ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું અને ટ્વિટ કર્યું કે કોંગ્રેસ શાસિત રાજસ્થાનના કોટામાં હાલમાં જ 100 બાળકોના મોતથી સ્થિતિ અત્યંત દુઃખદાયી બની છે. જ્યારે સીએમ અશોક ગેહલોત પોતે અને તેમની સરકારને માટે ઉદાસીન, અસંવેદનશીલ અને બિન જવાબદાર છે જે દયનીય સ્થિતિ છે.
Union Health Minister Harsh Vardhan on #KotaChildDeaths: I have written a letter to Rajasthan CM Ashok Gehlot requesting him to look into the matter. We have assured all kind of support from our side. Number of deaths is definitely higher this time compared to last few years. pic.twitter.com/esdUX7Wm1s
બાળકોના મોતથી જાગેલી રાજસ્થાન સરકારે મંગળવારે મેડિકલ કોલેજની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં દરેક મેડિકલ સાધનોના ફંક્શનની તપાસના આદેશ આપ્યા છે. 2018માં આ હોસ્પિટલમાં 1005 બાળકોના મોત થયા છે જ્યારે 2019માં 963 બાળકોના મોત થયા છે. કોટા જિલ્લાના કલેક્ટર ઓમ કસેરા અને હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટથી મળેલી માહિતી અનુસાર 2014થી જેકે લોન હોસ્પિટલમાં શિશુ મૃત્યુદર ઘટ્યો છે.
મેડિકલ એજ્યુકેશન વિભાગને લખ્યો પત્ર
2014માં 1198 બાળકોના મોત થયા તો હોસ્પિટલમાં એડમિટ બાળકોની સંખ્યા 15719 પહોંચી છે. ડિસેમ્બર 2019માં વધુ સંખ્યામાં શિશુઓના મોતના વિવાદ બાદ હોસ્પિટલે ચિકિત્સા ઉપકરણોને અપગ્રેડ અને મેન્ટેનન્સ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. કોટા હોસ્પિટલમાં 50 ટકાથી વધારે ગેજેટ્સ કામ કરી રહ્યા નથી. જેને લઈને મેડિકલ એજ્યુકેશન વિભાગે પણ મેડિકલ કોલેજોના પ્રિન્સિપલ અને કંટ્રોલરને પત્ર લખ્યો હતો.