અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત, પરિવારના 3 લોકોના મોતથી શોકમય વાતાવરણ
અમરેલી-રાજુલાના ચારનાળા રોડ સર્જાયો અકસ્માત
બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં ત્રણ લોકોનાના ઘટના સ્થળે મૃત્યુ
અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. એક જ 3 લોકોના મોતથી પરિવાર શોકમય બન્યો છે. મૃતક લોકો રાજુલાના ચોત્રા ગામના રહીશો છે. પંથકમાં અકસ્માતની જાણ થતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પર પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી. પોલીસે પણ સમગ્ર અકસ્માતની તપાસ હાથ ધરી છે.
હીરા સોલંકીએ પત્રકારો સાથે કરી વાતચીત
સમગ્ર ઘટના અંગે સ્થાનિક નેતા હીરા સોલંકીએ કહ્યું કે, મને જાણ થતા તુરંત હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જ્યાં મને જાણવા મળ્યું કે આ ત્રણેય લોકો દેવીપૂજક સમાજના હતા. અને પોતાના પરિવારના એક બાળકની દવા લેવા માટે મહુવા તરફ ગયા હતા. જે દરમિયાન તેમનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. તેમના પરિવારના સભ્યોને બોલાવી ઓળખાણ કરાવી હતી.