અમદાવાદમાં મામાએ સગીરા સાથે દુષ્કર્મ આચરતા સગીરાને 7 માસનો ગર્ભ રહી ગયો હતો બાદમાં તેણીનું મોત નિપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં મામાએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ
7 માસના ગર્ભ સાથે સગીરાનું મોત
અમદાવાદમાં મામા અને ભાણેજના સંબંધોનો દાગ લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના વટવા વિસ્તારમાં દુષ્કર્મની ચોંકવાનારી ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સબંધને શર્મશાર કરતાં આ કિસ્સામાં મામાએ જ સગીરાને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પ્રકરણમાં સગીરા માનસિક અસ્થિર હોવાનું પણ સામે આવ્યું છે. બાદમાં સગીરાનું મોત નિપજ્યાં ખળભળાટ મચી ગયો છે.
સગીરાને 7 માસનો ગર્ભ રહી જતાં મામાનો ભાંડો ફૂટ્યો
અમદાવાદમાં માનસિક અસ્થિર યુવતી દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. ગોમતીપુરમાં મામાએ જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બનેલી માનસિક અસ્થિર સગીરાને 7 માસનો ગર્ભ પણ રહી ગયો હોવાનું સામે આવ્યું હતું. જે અંગેનો મામલો સામે આવતા મામાનો ભાંડો ફૂટ્યો હતો. જેને પગલે ગોમતીપુર અને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
નારણપુરા સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ ગુજાર્યું
દુષ્કર્મ અંગેના વધુ એક કેસમાં અમદાવાદમાં સસરાએ પુત્રવધુ પર પહેલા નજર બગાડી અડપલાં કર્યા હતા બાદમાં એકલતાનો લાભ લઈ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું હતું. નારણપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને નાનપણમાં જ માતા પિતાએ તરછોડી દેતા તે મહેસાણામાં વિશ્વગ્રામ સંસ્થામાં 11 વર્ષ સુધી રહી અને વર્ષ 2012માં અમદાવાદ ખાતે આવેલ મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે આવી હતી. 2018 માં આશ્રમ દ્વારા તેના પહેલા લગ્ન ઊંઝા ખાતે રહેતા યુવક સાથે કરાવ્યા હતા, જોકે ઘર કંકાસ અને યુવતીને શારીરિક બીમારીનાં લીધે 2019 માં તેના પહેલા પતિએ તેને છુટાછેડા આપતા વર્ષ 2020 માં મહિપતરામ આશ્રમ દ્વારા ફરિયાદીનાં બીજા લગ્ન નારણપુરા ખાતે રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ કરાવવામાં આવ્યા હતા.લગ્ન બાદથી જ સસરા દ્વારા તેના ઉપર ખરાબ દાનત રાખીને તે જ્યારે ઘરે એકલી હોય ત્યારે શારીરિક અડપલા કરવામાં આવતા હતા.ત્યારબાદ હેવાન સસરાએ તેનું મો દબાવી "તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે, તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશું" તેવી ધમકી આપી જબરદસ્તી મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.