ચારધામ યાત્રામાં આવેલા શ્રદ્ધાળુઓના ઓક્સિજનનો અભાવ અને હાર્ટ એટેકથી મૃત્યુઆંક વધી રહ્યો છે.
ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુના મોત
24 દિવસમાં 91 શ્રદ્ધાળુના મોત
ગુરૂવારે 7 યાત્રિકોના થયા મોત
ચારધામ યાત્રામાં આવેલા શ્રદ્ધાળુઓના ઓક્સિજનનો અભાવ અને હાર્ટ એટેકથી મૃત્યુઆંક વધી રહ્યો છે. ગુરુવારે રેકોર્ડ 7 મૃત્યુ પામ્યા. યાત્રા શરૂ થયાના માત્ર 23 દિવસમાં 91 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. રુદ્રપ્રયાગના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે ગુરુવારે કેદારનાથમાં વધુ 4 મુસાફરોના મૃત્યુ થયા છે.
Uttarakhand | Till now, 91 pilgrims have died since the Char Dham Yatra started on May 3. On 26 May, 16 pilgrims died during the Yatra: Director General of Health Dr Shailja Bhatt
ભૌગોલિક પરિસ્થિતિના કારણે શ્રદ્ધાળુઓના થઇ રહ્યાં છે મોત
મહત્વનું છે કે, ચાર ધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ ભૌગોલિક પરિસ્થિતિના કારણે મોત થઇ રહ્યાં છે. ગુરૂવારે 7 તીર્થ યાત્રિકોના થયા મૃત્યુ થયા હતાં. મહત્વનું છે કે, ઉંચાઇને કારણે ઓક્સિજનની ઘટથી યાત્રિકોને મુશ્કેલી થાય છે. આ સાથે ઠંડીને કારણે હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. ઉલ્લેખનીય છે કે, ચારધામ યાત્રામાં અત્યાર સુધી 50 હજાર જેટલા યાત્રિકોની OPD કરવામાં આવી છે. મહત્વનું છે કે, ઉત્તરાખંડ સરકારે યાત્રિકાનો સેવા માટે 24 ફિઝિશિયન, 133 ડોક્ટર, 12 ઓર્થોપેડિક સર્જન 65 નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની નિમણૂંક કરાઇ
ક્યાં-ક્યાં થયા યાત્રિકોના મૃત્યુ
સ્થળ મૃત્યુ
બદરીનાથ 15
કેદારનાથ 42
ગંગોત્રી 06
યમુનોત્રી 28
કુલ 91
ઉત્તરાખંડ સરકારે યાત્રાળુઓ માટે ખાસ મેડિકલ સુવિધા ઉભી કરી છે. જેમાં સ્વાસ્થયની ચકાસણી માટે કેદારનાથ ધામમાં 24 ફિઝિશિયનની નિમણૂંક133 તબીબોની નિમણૂંત 12 ઓર્થોપેડિક સર્જન પણ હાજર રખાયા છે. આ સાથે 65 નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ યાત્રિકોની સુરક્ષા માટે 117 એમ્બ્યુલન્સ ખડેપગે.મહત્વનું છે
મુસાફરોએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
પ્રવાસીઓએ યાત્રાના માર્ગ પર ખોલવામાં આવેલા શિબિરોમાં આરોગ્ય તપાસ કરાવીને વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ જેથી કરીને તેમને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. ચારધામોમાં હવામાન સતત ખરાબ રહે છે. તેથી, મુસાફરોએ પૂરતી માત્રામાં ગરમ વસ્ત્રો સાથે રાખવા જોઈએ. જ્યારે ઓક્સિજનનું સ્તર 85 થી નીચે આવે છે, ત્યારે સમસ્યા અનુભવવા લાગે છે. જ્યારે આવું થાય, ત્યારે આરોગ્ય શિબિરો અને હોસ્પિટલોમાંથી ઓક્સિજન લો. કેદારનાથ અને યમુનોત્રીની યાત્રા ત્યારે જ કરો જ્યારે તમે સંપૂર્ણપણે ફિટ હોવ.