અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલ એકવાર ફરી વિવાદમાં આવી છે. પાકા કામના કેદીના સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલા મૃત્યુના મામલે માનવ અધિકાર કોર્ટની ગ્રામ્ય કોર્ટમાં શરુ થયા બાદ પ્રથમ કેસ નોધાયો છે.
કોર્ટે જેલના અધિકારી તરીકે આઈ.જી.પી. સુપ્રીટેન્ડન્ટ સહીતના 5 લોકોને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. જેમાં પાકા કામના કેદીનું જેલમાં મૃત્યુ થયા બાદ પરિવારને જાણ ન કરતા પરિવારે માનવ અધિકાર કોર્ટમાં અરજી કરી હતી.
જેમાં અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જયારે પરિવાર મુલાકાત લેવા ગયા ત્યારે જેલ અધિકારીએ મળવા ન દીધા અને બાદમાં ફોન કરી મૃત્યુની જાણ કરી હતી.
જો કે જેલ અધિકારીઓએ કેદીની ગંભીર બીમારી દર્શાવી મોત થયું હોવાનું કારણ બતાવ્યું હતું. જો કે પરિવારે મૃતદેહ પર શરીર પર ઢોર માર માર્યાના નિશાન આવતા મેડીકલ રીપોર્ટના આધારે કોર્ટમાં અરજી કરી હતી.