અમદાવાદની LG હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમા પ્રસુતિનો દુખાવો થતા મહિલા હોસ્પિટલ પહોચી તો તેને પરત મોકલી દેવામાં આવી. પરંતુ હોસ્પિટલ પ્રાંગણમાંજ મહિલાની ડિલવરી થઈ અને બાળકનું મોત નિપજ્યું
અમદાવાદની LG હોસ્પિટલની ગંભીર બેદરકારી
મહિલાને પ્રસુતિનો દુખાવો થતા તે હોસ્પિટલ ગઈ હતી
હોસ્પિટલ સ્ટાફે મહિલાને પરત મોકલી દીધી
હોસ્પિટલ પ્રાંગણમાંજ ડિલવરી થતા નવજાત બાળકનું મોત
અમદાવાદમાં એએમસીની એલજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમા હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગના સ્ટાફની બેદરકારીને કારણે નવજાત શીશુંનું મોત થયું છે. જેના કારણે મહિલાના માથે આભ તૂટી પડ્યું હોય તેવી તેની સ્થિતી સર્જાઈ છે. મહિલાને પ્રસુતિની પિડા ઉપડતા તે એલજી હોસ્પિટલ પહોચી હતી. પરંતુ ત્યા સ્ટાફની બેદરકારીને કારણે મહિલાના નવજાત બાળકનું મોત નિપજ્યું.
હજુ એક મહિવાની વાર છે કહી મહિલાને પરત મોકલી
મહિલાને ખરેખર પ્રસુતિની પીડા થઈ રહી તેના કારણેજ તે હોસ્પિટલ પહોચી હતી. પરંતુ તે સમયે હોસ્પિટલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હજુ એક મહિનાની વાર છે અને આવું કહ્યા બાદ મહિલાને હોસ્પિટલથી પરત મોકલી દેવામાં આવી હતી.
હોસ્પિટલ પ્રાંગણમાં ડિલવરી થઈ બાળકનું મોત
હોસ્પિટલ દ્વારા મહિલાને પ્રસુતિના દુખાવા સાથે પરત તો મોકલી દેવાઈ પરંતુ તે જેવી હોસ્પિટલના પ્રાંગણમાં પહોચી કે તેની પ્રસુતિ થઈ અને ગણતરીના સમયમાં તેના નવજાત બાળકનું મોત થઈ ગયું જેથી મહિલા ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેની સ્થિતી થઈ ગઈ હતી.
બનાવને કારણે હોસ્પિટલમાં દોડધામ
ગણતરીની મિનીટોમાંજ બાળકનું મોત થઈ જતા હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. તુરંત મહિલા અને તેના મૃતક બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે આ બઘાની વચ્ચે હોસ્પિટલના પ્રાંગણમાં પુરાવા નષ્ટ કરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેથી કરીને હોસ્પિટલ સ્ટાફની બેદરકારી સામે ન આવે.
લોકોમાં રોષનો માહોલ
મહિલાના નવજાત બાળકનું મોત થતા તે ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેની સ્થિતી થઈ છે. સાથેજ સમગ્ર મામલે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. ઉપરાંત આ મામલે ઘણા સવાલો ઉભા થાય છે કારણકે અગાઉ પણ એલજી હોસ્પિટલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે.
સગળતા સવાલો
એલ.જી. હોસ્પિટલનો સ્ટાફ ક્યાં સુધી બેદરકારી દાખવતો રહેશે?
એક મહિલાની પ્રસૃતિની પીડા ઉપડી છતાં ઘરે કેમ મોકલાઈ?
સ્ટાફ દ્વારા મહિલાની ગંભીર સ્થિતિને ધ્યાને કેમ ન લેવાઈ?
બાળકનું મૃત્યુ થવા પાછળ જવાબદાર કોણ?
હોસ્પિટલના સ્ટાફ વિરુદ્ધ થશે કાર્યવાહી?
મૃતક બાળકને હોસ્પિટલની અંદર કેમ લઈ જવાયું?
શું પુરાવા નષ્ટ કરવા માટે હોસ્પિટલ તંત્ર પ્રયાસ કરી રહ્યું હતું?
સમગ્ર મામલે ઢાંકપિછાડો કરવાના હોસ્પિટલ તંત્રના પ્રયાસ