મહેસાણાઃ ઊંઝાના ઐઠોર ગામે કુવામાં પડી જતા બાળકનું મોત નિપજ્યુ છે. ઊંઝાના ઐઠોર ગામે કુવામાં પડી જતા બાળકનું મોત નિપજ્યુ છે. બસ સ્ટોપ પાસે આવેલા કુવામાં બાળક પડી ગયુ હતું. નિકુલજી ઠાકોર નામના બાળકનું કુવામાં પડી જતા મોત થયુ છે. 7 વર્ષીય બાળકનું મોત થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં. પતંગ પકડવા જતા બાળક કુવામાં પડયુ હતું. ફાયર વિભાગે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મહત્વનું છે કે આ બાળક પતંગ પકડવા પતંગ પાછળ દોડતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ તે કુવામાં પડ્યું હતું જેને લઇને તેનું મોત નિપજ્યું છે. આ બનાવ મહેસાણા નજીક ઊંઝાના ઐઠોર ગામનો છે. બનાવના પગલે ફાયર વિભાગે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
7 વર્ષીય નિકુલજી ઠાકોર નામના બાળકનું કુવામાં પડી જતા મોત નિપજતા પરિવાર અને ગામમાં શોકની લાગણ પ્રસરી ગઇ છે. ત્યારે આ પ્રકારના બનાવ ન બને તે માટે ખુલ્લા કુવા અને બાળકનું ધ્યાન રાખવું જરૂરી છે.