કોની જીવનડોર ક્યારે તૂટી જાય છે એ કળવું ખૂબ મુશ્કેલ છે અને એમાં પણ જ્યારે કોઈનું ઉછરતું પાછરતું સંતાન એકાએક કાયમી વિદાય લઈ લે ત્યારે તે ઘટનાનો ભાર માતા-પિતાથી ઝરવાતો નથી. હજુ શાળામાં કલાકો પહેલા ભણતું રમતુ બાળક અચાનક મોતને ભેટે આ વાત વાલીઓ માટે માત્ર આંચકો સર્જનારી જ નહીં પરંતુ સવાલો સર્જનારી હોય છે અને આવી જ કમનસીબ ઘટના અમદાવાદની એક શાળાનાં કેમ્પસમાં બની ગઈ અને શાળા પરિસરને ઘેરા શોકમાં ડુબાડતી ગઈ.
કોની જીવનડોર ક્યારે તૂટી જાય છે એ કળવું ખૂબ મુશ્કેલ છે અને એમાં પણ જ્યારે કોઈનું ઉછરતું પાછરતું સંતાન એકાએક કાયમી વિદાય લઈ લે ત્યારે તે ઘટનાનો ભાર માતા-પિતાથી ઝરવાતો નથી. હજુ શાળામાં કલાકો પહેલા ભણતું રમતુ બાળક અચાનક મોતને ભેટે આ વાત વાલીઓ માટે માત્ર આંચકો સર્જનારી જ નહીં પરંતુ સવાલો સર્જનારી હોય છે અને આવી જ કમનસીબ ઘટના અમદાવાદની એક શાળાનાં કેમ્પસમાં બની ગઈ અને શાળા પરિસરને ઘેરા શોકમાં ડુબાડતી ગઈ. ત્યારે શું છે એક વિદ્યાર્થીનાં મોતનું ઘુંટાતું રહસ્ય જોઈએ આ અહેવાલમાં.
અમદાવાદનાં નરોડા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સંચાલિત ગુજરાતી શાળાનાં છઠ્ઠા ધોરણનાં છે અને આ સફેદ સ્કૂલ ડ્રેસમાં શોભતા બાળકનું નામ છે મેહુલ મારવાડી. પરંતુ કુદરત પણ ક્યારેક ક્રૂર મજાક કરતી હોય છે. મળતી માહિતી પ્રમાણે, ધોરણ 6માં ભણતો મેહુલ મારવાડી નામનો વિદ્યાર્થી રિસેસનાં સમયે સ્કૂલનાં મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે તે પડી ગયો હતો.
જો કે વિદ્યાર્થી પડી ગયાની જાણ થતાં જ સ્કૂલના સંચાલકો દ્વારા 108ને બોલાવી વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક ઊગતું ભવિષ્ય સારવાર દરમિયાન જ મુરઝાઈ ગયું અને શાળા અને તેનાં પરિવારને કાયમ માટે અલવિદા કરી ગયું. જો કે અંત સમય સુધી શાળાનાં શિક્ષકોએ બાળકને બચાવવા કોઈ કસર ન છોડી. પરંતુ કુદરતને કંઈક જુદુ જ મંજૂર હતું.
જો કે, વિદ્યાર્થીનાં મોતને લઈને મામલો ગરમાયો છે. શાળાનાં આચાર્યનું કહેવું છે કે, વિદ્યાર્થીને શ્વાસની અને વાલની બીમારી હતી. જે ખુદ બાળકનાં વાલી અને તેના મામાએ કહ્યું હતું. પરંતુ જેના પર વ્હાલ સોયા સંતાનનાં મોતનો વજ્રાઘાત થયો છે તેવી બાળકની માતા શિક્ષકોની આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેનું હૈયાફાટ રુદન કહી રહ્યું છે. હું તેની માતા છું. મારા લાલને કોઈ બીમારી ન હતી.
બાળકનાં મૃતદેહની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયા તો પૂર્ણ થઈ પરંતુ વિદ્યાર્થીનાં પરિવારજનો પોતાના પુત્રનાં મોત માટે શાળા તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. તેમણે એક તબક્કે બાળકનાં મૃતદેહને શાળાએ લઈ જવાની ચિમકી આપી હતી. જો કે પોલીસે વાલીને સમજાવટથી મામલો થાળે પાડવા તૈયારી કરી છે. હાલ તો આ બાળકનાં મોત અંગેનું રહસ્ય વાલીઓનાં આક્ષેપો અને શિક્ષકોનાં નિવેદનો વચ્ચે અટવાયું છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવશે ત્યારે જ તેનું સાચું કારણ જાણી શકાશે. ત્યાં સુધી વિદ્યાર્થીનાં વાલીઓએ સંયમ જાળવવાની જરૂર છે.