પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા ભિષણ લૂનો પ્રકોપ સહન કરી રહ્યા છે.
લૂ અને ભિષણ ગરમીના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મોત
પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા ભિષણ લૂનો પ્રકોપ સહન કરી રહ્યા છે.
દેશના ઘણા રાજ્યોમાં ગરમી હંમેશા માટે લોકોની મુશ્કેલીઓનું કારણ બની છે. લૂ અને ભિષણ ગરમીના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. આ પ્રચંડ ગરમીએ દેશમાં છેલ્લા 50 વર્ષમાં 17,000થી વઘુ લોકોના જીવ લીધા છે. દેશમાં મોટા હવામાન વિભાગના વૈજ્ઞાનિકો તરફથી પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર વર્ષ 1971થી 2019ની વચ્ચે લૂ આવવાની 706 ઘટનાઓ બની હતી.
આ અભ્યાસ ઘણા લોકોએ મળીને કર્યો છે જેમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવન, વૈજ્ઞાનિક કમલજીત રે, વૈજ્ઞાનિક એસએસ રે, વૈજ્ઞાનિક આર કે ગિરી અને વૈજ્ઞાનિક એપી ડીમરી શામેલ છે. આ સ્ટડીમાં મુખ્ય લેખક કમલજીત રે છે.
ત્રણ રાજ્યોમાં લૂએ મચાવી તબાહી
દેશમાં 'લૂ' અતિ પ્રતિકૂલ સિઝનલ ઘટનાઓમાંથી એક છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર, 50 વર્ષમાં ઈડબ્લ્યુઈએ 1,41,308 લોકોના જીવ લીધા છે. તેમાંથી 17,362 લોકોના મોત લૂના કારણે થયા છે જે કુલ મોતના આંકડાઓના 12 ટકાથી પણ વધારે છે. સ્ટડીમાં જણાવ્યા અનુસાર લૂથી સૌથી વધુ મોત આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં થઈ છે.
આ ત્રણ રાજ્યો ઉપરાંત પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા એ રાજ્યોમાંથી એક છે જ્યાં ભિષણ લૂના કેસ સૌથી વધારે સામે આવે છે.
ભારતના ઉત્તરી મેદાનનો અને પર્વતોમાં ભિષણ ગરમી પડી છે અને લૂ ચાલી રહી હતી. મેદાની વિસ્તારમાં આ અઠવાડિયાની શરૂઆતમાં પારો 40 ડિગ્રીથી વધુ પહોંચી ગયો છે. દિલ્હીમાં પારો દર મહિનાના પહેલા એઠવાડિયામાં 45 ડિગ્રી નોંધાયો છે. હકીકતે, મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે થવા અને પર્વતીય વિસ્તારમાં 30 ડિગ્રી સેલ્સિયસથી વધારે થવા પર કોઈ વિસ્તારમાં લૂ આવવાનું એલર્ટ આપવામાં આવે છે.