કઠોપનિષદ અને ગરુડ પુરાણથી લઇને શિવ પુરાણ સુધી દરેક લોકોએ જણાવ્યું છે કે જે ધરતી પર આવ્યું છે એને શરીર છોડીને એકના એક દિવસ જવાનું છે. કારણ કે આ ધરતી મૃત્યુ લોક છે એટલે અહીંયા મૃત્યુનું સામ્રાજ્ય છે. પરંતુ મૃત્યુ માટે દરેક માણસનો સમય નિર્ધારિત છે અને એ જ સમયે એને જવાનું હોય છે. અકાલ મૃત્યુ ઇશ્વરનો દંડ માનવામાં આવ્યો છે જેમાં વ્યક્તિનું શરીર છીનવાઇ જાય છે પરંતુ એની આત્માને પરલોકમાં પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવતી નથી અને જ્યાં સુધી એના વાસ્તવિક મૃત્યુનો સમય આવતો નથી એ શરીર વગર ભટકતો રહે છે. જે લોકાના કુદરતી મોત હોય છે એમને મૃત્યુ પહેલા કેટલાક સંકેત મળી જાય છે અને એ કામ કરી શકતો નથી.
તમારા નાકના આગળના ભાગને જોઇ શકતાં નથી તો એ સંરેત છે મૃત્યુ ધીરે ધીરે નજીક આવી રહ્યું છે.
તમારો પડછાયો તમને દેખાઇ રહ્યો નથી તો આ મૃત્યુ નજીક આવવાનું સૂચક માનવામાં આવ્યું છે.
બધુ બરોબર હોવા છતાં અરીસામાં પોતાનો ચહેરો ચોખ્ખો દેખાઇ રહ્યો નથી અથવા પોતાની જાતને પણ જોઇને ઓલખી શકતાં નથી.
શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના 6 મહિના પહેલા વ્યક્તિની જીભ ઉચિત પ્રકારથી કામ કરવાનું બંધ કરી દે છે વ્યક્તિ જે ભોજનનો સ્વાદ નથી મળતો. બોલવામાં પણ સમસ્યા આવી શકે છે.
જીભ ઉપરાંત મોઢું કાન આંખ પણ બરોબર રીતે કામ કરવાનું બંધ કરી દે છે. શરીરની આ જ્ઞાનેન્દ્રિયા એક સાથે કામ કરવાનું બંધ કરી દે તો આ સંકેત છે કે મૃત્યુ ખૂબ જ નજીક છે.
તારા ભરેલા આકાશમાં પણ જો તારા જોવા ના મળે તો સંકેત છે કે જીવનના બસ થોડાક જ મહિના બચ્યા છે.
મૃત્યુ નજીક આવે તો વ્યક્તિને સૂરજ અને ચાંદો સામાન્ય નજરે જોવા મળતો નથી. એમને ચારે બાજુ કાળા અથવા લાલ રંગ જોવા મળે છે.