ભાવનગર ઘોઘાના સણોદર ગામે ચૂંટણીના પરિણામ બાદ વિજય સરઘસમાં બોલાચાલીનો મામલો હત્યા સુધી પહોંચ્યો
ભાવનગરમાં ચૂંટણી બની લોહિયાળ
અમરભાઈ બોરીચાની કરાઇ હત્યા
કોંગ્રેસના વિજય સરઘસમાં હત્યા
ભાવનગરમાં ચૂંટણી લોહિયાળ બની છે. ભાવનગરની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવારની જીતના વિજય સરઘસમાં મામલો એટલો બિચક્યો કે, એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘોઘાના સણોદર ગામે હત્યાનો બનાવ બન્યો છે. મૃતકનું નામ અમરભાઈ બોરીચા છે. સમગ્ર મામલો કોંગ્રેસના વિજય સરઘસમાં બન્યો હતો. હુમલામાં અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.
કોંગ્રેસના જીતેલા ઉમેદવારના સરઘસ દરમિયાન સમગ્ર મામલો બિચક્યો હતો. જેમાં સરઘસ સાથે ચાલતા ડીજેની સીસ્ટમ મૃતકના ઘર પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન થયેલી બોલાચાલી બાદ અમરભાઈ બોરીચા પર હુમલો થયો હતો. જેમાં ઘાયલ અમરભાઈ બોરીચાનું મોત નિપજ્યું છે.