શિયાળાની શરૂઆતમાં જ સ્વાઈન ફ્લૂએ પોતાનું પોત પ્રકાશ્યુ છે. કચ્છમાં એક મહિલાનું સ્વાઈનફ્લૂથી મોત થતા દહેશત ફેલાઈ ગઈ હતી. દર સાલ હજારો લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે અને તેમાંથી ઘણાખરાં પોતાનો જાન ગુમાવે છે. વળી આ વાયરસ શ્વાસોશ્વાસથી ફેલાય છે જેને કારણે તે એક સાથે ઘણાબધા લોકોને શિકાર બનાવે છે.
કચ્છમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત
સ્વાઈન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત
ભુજની 42 વર્ષીય મહિલાનું થયું મોત
રાજ્યભરમાં સ્વાઈન ફલુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છમાં સ્વાઈન ફ્લૂ ( Swine Flu )થી વધુ એક મહિલાનુ મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. ભૂજની 42 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે.
શું છે સ્વાઈન ફ્લૂ
એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.
સામાન્ય તાવમાંથી સ્વાઈન ફ્લૂનો જન્મ
માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.
H1N1 એક જીવલેણ વાયરસ
H1N1 એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દર્દી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. H1N1ના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.
બાળકોમાં જોવા મળતા લક્ષણો
ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
વારંવાર ઉલટી થવી
ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી
મૂંઝવણ અને વારંવાર રડવું
તાવ અને શરદીનો ભોગ બનવું
પૂરતું પ્રવાહી ન પીવું
સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચી શકાય
જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો
જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો.
ઓફિસે અને સ્કૂલે જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી
તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.