સરકારે રોડ અકસ્માતમાં માર્યા જતાં લોકોના પરિજનો માટે રાહત આપવાની જાહેરાત કરી છે. 'હિટ એન્ડ રન' કેસમાં પીડિતનું મોત થવા પર તેના પરિજનોને આપવામાં આવતું વળતર એક એપ્રિલથી આઠ ગણી વધી જશે.
રોડ અકસ્માતમાં દુર્ઘટનાનો શિકાર થયેલા લોકોને રાહત
સરકારે કરી મોટી જાહેરાત
વળતરમાં કર્યો આઠ ગણો વધારો
સરકારે રોડ અકસ્માતમાં માર્યા જતાં લોકોના પરિજનો માટે રાહત આપવાની જાહેરાત કરી છે. 'હિટ એન્ડ રન' કેસમાં પીડિતનું મોત થવા પર તેના પરિજનોને આપવામાં આવતું વળતર એક એપ્રિલથી આઠ ગણી વધી જશે, જેને હવે બે લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તેના માટે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. તે મુજબ આવા મામલામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને આપવામાં આવતું વળતર 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
એક એપ્રિલ 2022થી લાગૂ થશે આ યોજના
મંત્રાલયે કહ્યું છે કે, યોજનાનું નામ 'હિટ એન્ડ રન મોટર દુર્ઘટના યોજના પીડિત વળતર 2022' હશે અને તે એક એપ્રિલ 2022થી લાગૂ પડશે. એક પ્રેસ રિલીઝમાં જણાવ્યા અનુસાર મંત્રાલયે રવિવારે કહ્યું કે, હિટ એન્ડ રન મોટર દુર્ઘટનામાં પીડિતને વળતર આપવા સંબંધિત નોટિફિકેશન 25 ફેબ્રુઆરી 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ક્ષતિપૂર્તિ રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, રોડ પર ચાલી રહેલા વ્યક્તિને ટક્કર મારીને વાહન ચાલક ભાગી જાત તો, હિટ એન્ડ રન કહેવાશે.
8 ગણું વધારી દીધું વળતર
આ રકમ ગંભીર રીતે ઘાયલોને વધારીને 50,000 રૂપિયા અને મોતના મામલામાં હાલમાં 25,000 રૂપિયાથી વધારીને 2,00,000 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મંત્રાલયે પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે, આ યોજના એક એપ્રિલથી લાગૂ થશે, વધુમાં જણાવ્યું છે કે, વળતર માટે અરજી અને પીડિતોની ચુકવણી જાહેર કરવાની પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.