સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના દોષી અક્ષય કુમાર સિંહની પુનઃવિચાર અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે અમે કોઇપણ દબાવ વગર આ ચુકાદો સંભળાવી રહ્યાં છે. અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજીમાં કોઇ નવું તથ્ય નહોતું જેને લઇને અરજી નામંજૂર કરવામાં આવી છે. આમ પટિયાલા કોર્ટ દ્વારા ડેથ વોરંટને લઇને જે સુનાવણી થવાની છે તેને લઇને રસ્તો ક્લિયર થઇ ગયો છે.
નિર્ભયા કેસમાં દોષિત અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેંચ સુનાવણી કરી. બંને પક્ષને દલીલ માટે 30-30 મિનિટ આપવામાં આવી હતી.
અક્ષયના વકીલ એ.પી.સિંહે તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે અક્ષયને ફાંસી ન આપવામાં આવે. મોતની સજા માનવાધિકાર વિરૂદ્ધની છે. આરોપીના વકીલ એ.પી સિંહની કોર્ટમાં દલીલ કરી અને દોષિતોને નિર્દોષ ગણાવ્યા હતા. સાથે જ નિર્ભયાના મિત્ર પર વકીલે મોટો આક્ષેપ કર્યો હતો.
નિર્ભયા કેસમાં દોષિત અક્ષય ઠાકુરની ફાંસીની સજા પરની પુનઃવિચારની અરજી રદ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિતોને પોતાની વાત રાખવા માટે પૂરતો સમય મળ્યો છે. જો કે હવે દોષિતો રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી શકે છે.
જો કે દોષીઓના વકીલ એ. પી. સિંહ તરફતી દયા અજી માટે ત્રણ અઠવાડીયાનો સમય માગ્યો છે. જો કે સોલિસિટર જનરલે જણાવ્યું કે અઠવાડિયાનો સમય મળે છે.
નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી
નિર્ભયાની માતાએ આશા વ્યક્ત કરી નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે હું ખુશ છું અને આ સારું થયું કે એક પગલું આગળ વધ્યા
દોષીઓના વકીલ એ. પી. સિહં કહ્યું કે ક્યૂરેટિવ પિટીશન અરજી દાખલ કરીશું જેની સાથે એવા 17 ઉદાહરણ આપીશું જેમાં ફાંસની સજાને આજીવન કેદમાં બદલવામાં આવી છે. વકીલ સિંહના જણાવ્યું અનુસાર ક્યુરેટિવ પિટીશન પછી તેમની તરફથી દયાની અરજી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ભયા કેસના દોષી અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. કોર્ટના આ નિર્ણયને લઇને નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી છે.