દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા વધી રહી છે. કોરોનાથી સંક્રમિત દર્દીની સાથે જ મહામારીથી થતો મોતનો આંક પણ ચોંકાવનારો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં અત્યારસુધીમાં 56 હજારથી વધારે લોકોના મોત થયા છે. મોતનો આંક મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને દિલ્હીથી સૌથી વધારે પ્રભાવિત છે.
દેશમાં સતત વધી રહ્યો છે કોરોનાનો આંક
56હજારથી વધુ લોકોના થયા છે મોત
દેશમાં દર 15 મિનિટે 1 વ્યક્તિનું થાય છે મોત
સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર કરાયેલા આંક અનુસાર દેશમાં 16થી 22 ઓગસ્ટ સુધી એક અઠવાડિયામાં 5814 લોકોના મોત થયા છે. રોજ 900થી વધુ લોકોના જીવ ગયા હોવાનું છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. આ સાથે જ 19 ઓગસ્ટે 1092 લોકોના મોત કોરોનાથી થયા છે.
ભારત મોતના મામલે કયા નંબરે
કોરોના સંક્રમિતમાં અમેરિકા દુનિયામાં પહેલા, બ્રાઝિલ બીજા અને ભારત ત્રીજા સ્થાને છે. આ મહામારીથી થયેલા મોતના કેસમાં અમેરિકા પહેલા, બ્રાઝિલ બીજા, મેક્સિકો ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 21698 મોત થયા છે. દિલ્હીમાં 4270 મોત, તમિલનાડુમાં 6340 દર્દીના મોત થયા છે.
દુનિયાભરમાં 8 લાખ લોકોના થયા છે મોત
મળતી માહિતી અનુસાર દુનિયાભરમાં કોરોનાથી 8 લાખથી વધારે મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા 2 કરોડથી પણ વધુ છે. વર્લ્ડોમીટર અનુસાર દુનિયામાં 23,149,731 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ કારણે 8 લાખ 03 હજાર 807 લોકોના મોત થયા છે. જ્યારે 1 કરોડ 57 લાખ 32 હજાર 515 દર્દી કોરોનાથી સાજા થયા છે.
દર 15 સેકંડમાં થાય છે એક વ્યક્તિનું મોત
સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં વાયરસથી થનારા મોતના દરમાં વધારો થયો છે. છેલ્લા 2 અઠવાડિયાના આંક અનુસાર 24 કલાકમાં 5900 લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે. દર કલાકે 246 લોકો અને 15 સેકંડે 1 વ્યક્તિનું મોત કોરોનાના કારણે થાય છે.