દુર્ગાષ્ટમીએ મોદી સરકાર કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં બીજી વાર વધારો કરે તેવી પૂરી શક્યતા છે.
સરકાર દુર્ગા પૂજાના તહેવારે કેન્દ્રીય કર્મચારીઓને આપી શકે મોટી ભેટ
દર વર્ષે સરકારે બે વાર મોંઘવારી ભથ્થામાં કરે છે વધારો
પહેલા તબક્કાના મોંઘવારી ભથ્થાનો વધારો જાન્યુઆરીથી લાગુ થાય છે
બીજા તબક્કાના મોંઘવારી ભથ્થાંનો વધારો જુલાઈથી લાગુ થાય છે
સપ્ટેમ્બરનો પ્રારંભ થઈ ચૂક્યો છે હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે. 26મી સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. દુર્ગા પૂજાના શુભ અવસરે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે તેવું મનાઈ રહ્યું છે. સપ્ટેમ્બરમાં યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને સરકાર મંજૂરી આપી શકે છે.
નવરાત્રિમાં વધી શકે મોંઘવારી ભથ્થું
26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરુ થશે અને 5 ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર ઉજવાશે. આશા છે કે સપ્ટેમ્બર મહિનામાં જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકાય છે.
સરકાર કર્મચારીઓને બે તબક્કામાં આપે છે ડીએ વધારો
ઉલ્લેખનીય છે કે સરકાર દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં બે વાર વધારો કરે છે. પ્રથમ તબક્કામાં મોંઘવારી ભથ્થામાં વધારો જાન્યુઆરીથી અને બીજી વખત જુલાઈથી લાગુ પડે છે. છૂટક ફુગાવાના ડેટાના આધારે ડીએ અને ડીઆરમાં ફેરફાર કરવામાં આવે છે. રિટેલ ફુગાવો આરબીઆઈના સહનશીલતાના સ્તર 6 ટકાથી ઉપર કારોબાર કરી રહ્યો છે અને તે 6.71 ટકા પર છે. વર્ષ 2022ના પૂર્વાર્ધ માટે જાન્યુઆરીથી જૂન સુધી સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.
જુલાઈથી ડિસેમ્બર સુધીના સમયગાળા માટે બીજી વાર વધી શકે ડીએ
હવે જુલાઈથી ડિસેમ્બર મહિનાના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોવાઈ રહી છે. અને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે.
કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું
મોંઘવારી ભથ્થામાં 5 ટકા સુધી વધારાની સંભાવના સેવાઈ રહી છે. અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આંકડાને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 39 ટકાનો વધારો કરી શકાય છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાના કારણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થવાની શક્યતા છે. આંકડા મુજબ કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ થશે.