સતત મોંઘવારીનો માર ભોગવી રહેલા રેલવે કર્મચારીઓને સરકાર તરફથી મોટી રાહત આપપામાં આવી છે. રેલવે બોર્ડે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક જ વખતમાં 14 ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલો આ વધારો બે વખતના આધારે નક્કી કરવામાં આવ્યો છે.
રેલવે કર્મચારીઓને સરકાર તરફથી મોટી રાહત
મોંઘવારી ભથ્થામાં એક જ વખતમાં 14 ટકાનો વધારો કર્યો
10 મહિનાનું એરિયર પણ આપવાની વાત કહેવાઈ છે
10 મહિનાનુ એરિયર પણ મળશે
જે કર્મચારીઓ પર આ ડીએ હાઈક લાગુ થશે. તેના માટે આ સાથે બીજી ખુશખબર એ છે કે તેમને 10 મહિનાનુ એરિયર આપવાની વાત પણ કહેવામાં આવી છે. રેલવે બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું છે કે 7-7 ટકાના બે ભાગમાં આ ડીએ હાઈક એવા લોકો માટે લાગુ થશે, જે કર્મચારી છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરી રહ્યાં છે.
વધીને 203 ટકા થયુ ડીએ
મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2021થી 7 ટકા અને 1 જાન્યુઆરી 2022થી પણ 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યારે છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવનારા કર્મચારીઓને 189 ટકા ડીએ મળી રહ્યું છે. આ કર્મચારીઓનુ ડીએ 1 જુલાઈ 2021થી 7 ટકા વધવાથી 196 ટકા થઇ જશે. આ રીતે 1 જાન્યુઆરી 2022થી પણ 7 ટકા વધારવા પર આ કુલ 203 ટકા થઇ જશે. જે કર્મચારીઓને મેના પગારમાં 10 મહિનાના એરિયરની સાથે મળશે.
રેલવે કર્મચારીઓને ડબલ ફાયદો
રેલવે બોર્ડના આ નિર્ણયથી કર્મચારીઓને ડબલ ફાયદો થશે. રેલવે બોર્ડે નાણા નિયામક અને રેલવે મંત્રાલય તરફથી મંજૂરી મળ્યાં બાદ નિર્ણયને લાગુ કરવામાં આવ્યો છે. આની પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં માર્ચમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનો ફાયદો 7મા પગાર પંચ હેઠળ પગાર લેનારા લાખો કર્મચારીઓને થયો હતો.