કેન્દ્રીય નાણાં મંત્રીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારીનું ભથ્થું 28 ટકા વધારી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નવો નિયમ 1 જુલાઇ 2021ના દિવસે લાગુ પડશે.
રેલેવે અને આર્મ ફોર્સના કર્મચારીઓ માટે સારા સમાચાર
રેલ મંત્રાલય અને રક્ષા મંત્રાલય નક્કી કરશે આ વધારો
સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે
રેલેવે અને આર્મ ફોર્સના કર્મચારીઓ માટે સારા સમાચાર
કેન્દ્રીય નાણાં મંત્રીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારીનું ભથ્થું 28 ટકા વધારી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નવો નિયમ 1 જુલાઇ 2021ના દિવસે લાગુ પડશે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ ઓર્ડર રેલેવે કર્મચારીઓ અને આર્મ ફોર્સના કર્મચારીઓ પર લાગુ નહીં પડે. આ સંબંધી આદેશો મંત્રાલય દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA 17 ટકા વધારીને 28 ટકા કરવામાં આવ્યું છે. આ વધારામાં છેલ્લા ત્રણ EMI પણ સામેલ છે. પણ ગત વર્ષની શરૂઆતથી લઈ 30 જૂન 2021 સુધી તે 17 ટકા સુધી જ રહેશે.
રેલ મંત્રાલય અને રક્ષા મંત્રાલય નક્કી કરશે આ વધારો
નાણાં મંત્રાલય અંતર્ગત આવનાર ડીપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરનું કહેવું છે કે બેઝિક સેલેરીમાં સ્પેશિયલ સેલેરી જેવી અન્ય સેલેરી સામેલ નહીં થાય. બીજી બાજુ એમ કહેવામાં આવ્યું છે કે રેલેવે કર્મચારીઓ અને આર્મ ફોર્સના કર્મચારીઓની DAની વૃદ્ધિનો ઓર્ડર રેલ મંત્રાલય અને રક્ષા મંત્રાલય નક્કી કરશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આપવામાં આવેલ આ આદેશ ડિફેન્સ સર્વિસિસ એસ્ટીમેન્ટ દ્વારા વેતન મેળવતા અસૈન્યના કર્મચારીઓ પર પણ લાગુ પડશે.
સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.