શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેનું લેટેસ્ટ ટ્વિટ આવ્યુ છે જેમાં તેમણે શિવસૈનિકોને એક ઈમોશનલ અપીલ કરી છે.
શિવસેનાના બાગી નેતા એકનાશ શિંદેનું લેટેસ્ટ ટ્વિટ
શિવસૈનિકોને કરી ઈમોશનલ અપીલ
કહ્યું પ્રિય શિવસૈનિકો, MVAની રમત પારખો
શિવસેનાને MVAના અજગરી ભરડામાંથી મુક્ત કરાવવા આવ્યો છું
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ શિવસૈનિકોને એક ઈમોશનલ અપીલ કરતું ટ્વિટ કર્યું છે. એકનાથ શિંદેએ મહા વિકાસ અઘાડી સરકારને શિવસેનાના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે પ્રિય શિવસૈનિકો, તમે MVA ગઠબંધનની રમત પારખો, હું શિવસેનાને MVA ગઠબંધનના અજગરી ભરડામાંથી મુક્ત કરાવવા આવ્યો છું.
Shiv Sena workers must understand that I want to free Shiv Sena and its workers from the clutches of MVA govt and I have been struggling for the same. This battle is for the betterment of party workers, tweets Eknath Shinde pic.twitter.com/vJFKzXpUWH
મારી લડાઈ તમામ શિવસૈનિકો માટે હિતકારક-શિંદે
એકનાથ શિંદેએ શિવસૈનિકોને સંબોધિત કરતા ટ્વિટ કર્યું હતું કે, "સારી રીતે સમજો, એમ.વી.એ. રમતને ઓળખો...! હું એમ.વી.એ.ના ડ્રેગનની ચુંગાલમાંથી શિવસેના અને શિવસૈનિકોને છોડાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના હિત માટે સમર્પિત છે.
સ્વાભાવિક ગઠબંધનની માંગ પર ઉદ્ધવ મૌન હતા, તેથી બળવો થયો: ધારાસભ્ય ચિમનરાવ પાટિલ
શિવસેના ધારાસભ્ય ચિમનરાવ પાટિલે કહ્યું કે અમે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ અને એનસીપી સામે લડી રહ્યા છીએ. અમારા પ્રદેશમાં કોંગ્રેસ-એનસીપી જ મેદાનમાં છે અને આગામી ચૂંટણીમાં પણ એ જ વિરોધી રહેશે. અમે મુખ્ય પ્રધાનને વિનંતી કરી હતી કે સ્વાભાવિક જોડાણ થવું જોઈએ પરંતુ તેમણે અમને ક્યારેય જવાબ આપ્યો નથી, તેથી અમે અમારા નેતા એકનાથ શિંદેને વિનંતી કરી છે કે તેઓ આ અંગે કડક વલણ અપનાવે. મહારાષ્ટ્રમાં કુદરતી જોડાણ એ શિવસેનાના તમામ કાર્યકરોની ઇચ્છા છે, તેથી ઘણા ધારાસભ્યોએ વિચારધારા માટે બળવો કર્યો.
Eknath Shinde faction has asked the hotel management to extend its booking in Guwahati for two more days. Earlier this booking was till 28th June: Sources
બળવાખોર ધારાસભ્યો 30 જૂન સુધી ગુવાહાટીમાં રહેશે
મહારાષ્ટ્રને લઈને રાજકીય હલચલ વધી રહી છે. અહેવાલ છે કે શિંદે જૂથે હોટલના બુકિંગમાં વધુ બે દિવસનો વધારો કર્યો છે. બળવાખોર ધારાસભ્યો હવે 30 જૂન સુધી ગુવાહાટીમાં રોકાશે. એકનાથ શિંદે 24 જૂનની રાત્રે દિલ્હી અને વડોદરા ગયા હતા. તેઓ આજે સવારે ગુવાહાટી પરત ફર્યા બાદ આસામમાં ધારાસભ્યોને વધુ બે માટે રોકવાનો નિર્ણય લેવાયો હતો.
એકનાથ શિંદના જૂથે પોતાનું નામ નક્કી કર્યું
મહારાષ્ટ્રના રાજકારણમાં હવે બે બે શિવસેના હશે. ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને પહેલા સુરત અને તે બાદ ગુવાહાટી જતાં રહેલા એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યોએ હવે શિવસેના તોડીને પોતાની અલગ પાર્ટીનું એલાન કરી નાંખ્યું છે. આ નવી પાર્ટીનું નામ બાળાસાહેબ ઠાકરેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે, નવી પાર્ટીનું નામ હશે 'શિવસેના બાળાસાહેબ'. જોકે હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના આની સામે શું કોઈ કાયદાકીય કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહેશે.