દેવાસથી આવેલા કવિએ રાષ્ટ્રપિતા માટે અપમાનજનક કવિતા રજૂ
કરીઃ નિદત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં કાર્યરત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે અખંડ કાવ્ય સંમેલન યોજાયુ હતું. જેમાં વિદ્યાર્થીઓ, કવિઓ સહિત સાહિત્યપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કવિઓએ સતત 24 કલાક સુધી કવિતા પઠન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન એક કવિ દ્વારા રાષ્ટ્રપિતા માટે અપમાનજનક કવિતા રજૂ કરતા મામલો ગરમાયો છે.
રાષ્ટ્રપિતા માટે અપમાનજનક કવિતા રજૂ કરીઃ નિદત બારોટ
કાવ્ય મહાકુંભમાં રાષ્ટ્રપિતાના વિરુદ્ધમાં કવિતા પઠનથી વિવાદ છેડાયો છે. ગાંધી બાપુ માટે અપમાનજનક કવિતા રજૂ કરાતા ગાંધી પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન અને કોંગ્રેસના નેતા નિદત બારોટ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. આ મામલે તેઓએ જણાવ્યું કે દેવાસથી આવેલા કવિએ રાષ્ટ્રપિતા માટે અપમાનજનક કવિતા રજૂ કરી હતી. જેને ગુલાબદાસ બ્રોકર ચેરના કોર્ડીનેટર મનોજ જોશીએ પણ કવિતાને સારી ગણાવી હતી. આ અંગે મનોજ જોશીનું રાજીનામુ લઇ લેવુ જોઇએ અને સમગ્ર મામલે FIR નોંધવાની નિદત બારોટે માંગ કરી છે. મહત્વનું છે કે મધ્યપ્રદેશના કવિ દેવકૃષ્ણ વ્યાસ ગાંધીજીને અનુલક્ષીને કવિતા બધા સમક્ષ પ્રસ્તુત કરી હતી