નવસારીઃ દક્ષિણ ગુજરાતની ગાંધીઘર કછોલી બધિર શાળા દરેક ક્ષેત્રે અગ્રેસર રહી છે. સ્વ. કીકુભાઈએ શરુ કરેલી ગાંધીઘર આશ્રમ આજે વટ વૃક્ષ બન્યું છે. મૂકબધિર કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન આંતરરાષ્ટ્રીય કથાકાર મોરારીબાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે.
નવસારીમાં આવેલ ગણદેવી તાલુકાના કછોલી ગામે 58 વર્ષ જૂની ગાંધીઘર કછોલીના દીર્ઘદ્રસ્ટા અને માજી ધારાસભ્ય સ્વ.કીકુભાઇ નાયકની સંસ્થામાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે સંત શિરોમણી મોરારીબાપુ ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા હતાં. તેમજ મોરારીબાપુએ મુંબઈમાં રૂપજીવીઓને રામકથામાં આમંત્રણ આપ્યુ છે તે અંગે પણ જણાવ્યુ હતું.
મનુષ્યને ભગવાને આપેલ ૫ ઇન્દ્રિયો પૈકી કોઈ એક ઇન્દ્રિયો ખડખોપણ વાળું મળે ત્યારે પરમાત્મા એમનામાં દિવ્ય શક્તિનો સંચાર કરતા હોય છે. પરંતુ એવી શક્તિઓને ઉજાગર કરવા દક્ષિણ ગુજરાતની ગાંધીગર કછોલી બધિર શાળા અગ્રેસર રહી છે. સ્વ કીકુભાઈએ શરુ કરેલ ગાંધીઘર આશ્રમ આજે વટ વૃક્ષ બની છે. આજે મૂક બધિર કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન આંતરરાષ્ટ્રીય સંત પ.પૂ.મોરારીબાપુના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.
જેમાં ગાંધી પ્રેમીઓ સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવા સાથે નવસારી અને ગણદેવીના ધારાસભ્ય હાજર રહ્યા હતા. સંતશ્રી મોરારીબાપુએ આ સંસ્થાની યાદોને વાગોળીને કીકુભાઈના વિચારોને
સન્માન આપ્યું હતું.
રૂપજીવીઓને સમાજનો એક વર્ગ અંદરખાને હરખાઈને માન આપી રહ્યો છે અને જાહેરમાં તરછોડી રહ્યો છે. તેવા સમયમાં મહાત્મા મોરારીબાપુએ મુંબઈમાં રૂપજીવીઓને રામકથામાં આમંત્રણ આપીને કહેવાતા સમાજમાં બધાને દંગ કરીને રૂપજીવીઓનું સન્માન વધાર્યું છે.