કળિયુગી કપાતરોના આજકાલ એવા કિસ્સાઓ સામે આવે છે, જેને સાંભળી કે વાંચીને કોઇનું પણ હૃદય હચમચી જાય તેમ છે. જે મા-બાપ બાળપણમાં આપણને આંગળી પકડીને ચાલતા શીખવે છે, તેવા મા-બાપનો ઘડપણમાં સહારો બનવાના બદલે તેઓને ધૂતકારવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સામને આવી છે. કેમ સગા સબંધીના ઘરે જાવો છો તમારે મને પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં આમ કહીને દીકરાએ પિતાને નાક પર ફેંટો મારીને ફેક્ચર કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે
મીઠાખળી વિસ્તારમાં આવેલ સરકારી વસાહત લોકોની પાસે રહેતા અને કે.કા.શાસ્ત્રી કોલેજમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ કબીરાએ તેમના દીકરા વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. દિનેશભાઈને સંતાનમાં બે દીકરા છે. તા. 25મીએ ધંધુકા ખાતે માતાજીનો માંડવો હોવાથી તેઓ પત્ની અને મોટા દીકરો સાથે ધંધુકા ગયા હતા.
26મીએ પ્રસંગ પતાવી તેઓ પરત ઘરે આવ્યા અને તેમનો મોટો દીકરો કોઇ કામ અર્થે નીકળી ગયો હતો અને પત્ની પણ નોકરી કરતા હોવાથી તેઓ પણ ઘરેથી નીકળ્યા હતા. બાદમાં તેમનો નાનો દીકરો અલ્પેશ ઘરે આવ્યો અને પિતાને કહેવા લાગ્યો હતો કે, તમે કેમ મને પૂછ્યા વગર કેમ બધા સગા સંબંધીના ઘરે જાવ છો,તમારે ક્યાંય જવાનું નહીં મને પૂછ્યા વગર આમ કહીને દીકરાએ તેના જ પિતાને જોરથી નાક પર ફેંટ મારી દીધી હતી.
દિનેશભાઇ ઘરેથી ભાગીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પહેલા તેમણે દીકરા સામે ફરિયાદ નોંધાવી અને બાદમાં સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યાં ડોક્ટરે નાકના હાડકામાં ફ્રેક્ચર થયુ હોવાથી સર્જરી કરાવવાનું કહ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તાસ હાથ ધરી છે.