31 માર્ચના નાણાકીય વર્ષ 2020-21 સમાપ્ત થઈ રહ્યું છે. એવામાં જો તમે પણ અત્યાર સુધી આધાર પાન લિંકિંગ, ITR ફાઇલિંગ જેવા આ 10 જરૂરી કામ પૂરા નથી કર્યા તો હવે ઝડપથી પતાવી લેજો, કારણ કે, 1 એપ્રિલથી ઘણાં નિયમો બદલાઈ જશે અને તમારે દંડ ભરવો પડી શકે છે. ચાલો જાણીએ.
31 માર્ચના નાણાકીય વર્ષ 2020-21 સમાપ્ત થઈ રહ્યું છે
આ 10 જરૂરી કામ પૂરા નથી કર્યા તો હવે ઝડપથી પતાવી લેજો
1 એપ્રિલથી ઘણાં નિયમો બદલાઈ જશે
આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો તમે 31 માર્ચ સુધીમાં પાનને આધાર સાથે લિંક નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તમારું પાન ડિએક્ટિવ થઈ શકે છે અને આ પછી 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.
કેવી રીતે લિંક કરવું
તમે ફોનથી મેસેજ મોકલીને આધાર-પાનને લિંક કરી શકો છો. સૌથી પહેલાં તમે કેપિટલ લેટરમાં IDPN લખો, પછી સ્પેસ આપીને આધાર નંબર અને પાન નંબર લખો. આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો. ત્યારબાદ આવકવેરા વિભાગ બંને દસ્તાવેજોને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરશે, અને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને મેસેજ દ્વારા કન્ફર્મેશન મળશે.
7 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય
1 એપ્રિલથી 7 બેંકોની ચેકબુક અમાન્ય થઈ જશે. જેમાં દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્રા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેંક અને અલ્હાબાદ બેંક સામેલ છે. આ બધી એવી બેંકો છે જે બીજી બેંકમાં મર્જ થઈ ગઈ છે. એટલે કે, જો આ 7 બેંકોમાં તમારું કોઈ ખાતું છે, તો ઝડપથી તમારી નવી ચેકબુક અને IFSC કોડ જાણી લો.
GST રિટર્ન ફાઇલ
નાણાકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક જીએસટી રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી હતી. જો તમે છેલ્લી તારીખ પછી રિટર્ન ફાઇલ કરશો તો તમારે 200 રૂપિયા દંડ ભરવો પડશે.
પીએમ કિસાન સન્માન નિધિ
31 માર્ચ એ પીએમ કિસાન સન્માન નિધિમાં રજિસ્ટ્રેશનમાટેની છેલ્લી તારીખ છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે રજિસ્ટ્રેશનનું કામ 31 માર્ચ પહેલા પૂરું કરવું પડશે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવે છે.
હોમ લોન પર વ્યાજ છૂટનો ફયાદો
SBI, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક અને HDFC એ સસ્તી હોમ લોન ઓફર કરી છે. SBI, ICICI બેંકમાં 31 માર્ચ 2021 સુધીના હોમ લોનના દર 6.70 ટકા છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંકમાં 6.65 ટકા છે. સાથે જએચડીએફસીએ તેના ગ્રાહકો માટે હોમ લોન પરના વ્યાજ દરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.
LTC કેશ વાઉચર સ્કીમ
કોરોનાને કારણે સરકારી કર્મચારીઓ વર્તમાન નાણાકીય વર્ષ 2020-21માં LTCનો લાભ લઈ શક્યા નહીં. જેના કારણે સરકારે LTC કેશ વાઉચર સ્કીમ લોન્ચ કરી. આ યોજના હેઠળ, લોકો 12 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધી કોઈપણ સામાન અથવા સર્વિસની ખરીદી કરીને LTCનો ક્લેમ કરી શકાય છે.
ECLGS અંતર્ગત લોન
સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગના (MSMEs) ફાયદો પહોંચાડવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમના (ECLGS) અંતર્ગત 31 માર્ચ સુધી લોન મેળવી શકાશે. સરકારે આ માટે 3 લાખ કરોડ રૂપિયાનું ફંડ રાખ્યું છે.
વિવાદથી વિશ્વાસ યોજના
આવકવેરા વિભાગે ડાયરેક્ટ ટેક્સ (Direct Tax) વિવાદ નિવારણ યોજના 'વિવાદથી વિશ્વાસ' હેઠળ વિગતો આપવાની અંતિમ તારીખ 31 માર્ચ નક્કી કરી છે. ચુકવણી માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. આ યોજનાનો હેતુ પેન્ડિંગ ટેક્સ વિવાદોને હલ કરવાનો છે.
ઈન્કમ ટેક્સમાં છૂટ
જો તમે આવકવેરા બચતનો લાભ લેવા માટે કોઈ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો, તો તમારે 31 માર્ચ પહેલાં ખરીદવી પડશે. આવકવેરાની કલમ 80C અને 80D હેઠળ કરવામાં આવેલા રોકાણોને જ કર મુક્તિનો લાભ મળે છે.
વર્ષ 2019-20 માટે બિલેટેડ ITR
2019-20 માટે મોડી અથવા સુધારેલી આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત પૂરી થયા પછી બેલેટેડ રીટર્ન ફાઇલ (Belated Return File) કરવાનો નિયમ છે. 10 હજાર રૂપિયાની લેટ ફી સાથે બિલેટેડ રીટર્ન 1 એપ્રિલ પહેલાં જમા કરાવવાનું રહેશે.