લોકડાઉનના કારણે કેન્સલ થયેલી ફેલાઈટ્સની ટિકિટના પૈસા રિફંડ નથી મળ્યા તો પરેશાન થવાની જરૂર નથી. આગામી સપ્તાહ સુધી ફ્લાઈટ ટિકિટના પૈસા તમારા ખાતામાં રિફંડ થઈ જશે. જાણો વિગતો.
લોકડાઉનમાં ઘણાં લોકોના હવાઈ મુસાફરીના પૈસા કપાઈ ગયા હતા
આ તારીખે મળી જશે રિફંડ
આગામી સપ્તાહ સુધી ફ્લાઈટ ટિકિટના પૈસા તમારા ખાતામાં રિફંડ થઈ જશે
જે મુસાફરોને હજી સુધી લોકડાઉન દરમ્યાન ગત વર્ષે કેન્સલ થયેલી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટેનું રિફંડ નથી મળ્યું તો તેમને આગામી સપ્તાહે મળવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે 25 માર્ચે દેશભરમાં લોકડાઉન લાગૂ થયા બાદથી વિમાનોના સંચાલનને રોકી દેવામાં આવ્યું હતું. દેશભરમાં ડોમેસ્ટિક ફલાઈટોની સેવા 25 મેથી શરૂ થઈ. પરંતુ કેટલાક મુસાફરો એવા છે કે, જેમને લોકડાઉન દરમ્યાન ખરીદેલી ટિકિટના પૈસા પરત મળ્યા નથી.
આ મામલો 225 માર્ચથી 25 મે સુધીની રદ્દ થયેલી ફલાઈટ્સથી સંબંધિત છે. જેના માટે એરલાઈન્સે બાદમાં ઉપયોગ માટે બુકિંગ રકમને ક્રેડિટ સેલમાં ટ્રાન્સફર કરી હતી. જેથી લોકો બાદમાં કોઈપણ સમયે ટિકિટ બુક કરાવી શકે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય સંકટમાં વિમાન કંપનીઓ 31 માર્ચ 2021 સુધી ક્રેડિટ સેલમાં રિફંડ રકમ રાખી શકે છે. જો મુસાફરોએ માર્ચના અંત સુધીમાં ક્રેડિટ સેલનો ઉપયોગ નથી કર્યો તો એરલાઈન્સ રકમ પરત કરશે.
જ્યારે આંતરરાષ્ટ્રીય બુકિંગ માટે એરલાઈન્સ અને ટ્રાવેલ એજન્ટ દ્વારા કોર્ટે ઓકટોબરના આદેશના 15 દિવસની અંદર રકમ મુસાફરોને પરત કરવી પડશે. ગત ડિસેમ્બરમાં સરકારે કહ્યું કે, એરલાઈન્સે આવી પ્રકારના લગભગ ત્રણ-ચતુર્થાંસ ટિકિટ પરત કરી છે. પરંતુ કેટલાક મુસાફરોને હજી પણ રિફંડને લઈને કોઈ સ્પષ્ટતા નથી.
શું છે મામલો
25 માર્ચથી 24 મે 2020 સુધીના લોકડાઉન દરમિયાન હવાઈ મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ જ્યારે લોકડાઉનને કારણે ફ્લાઇટની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે આ મુસાફરોએ તેમની ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરી હતી અથવા તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી. આ પછી, મુસાફરોએ એરલાઇન્સ પાસેથી કેન્સલ ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. એરલાઈન્સે મુસાફરોને ટિકિટ કેન્સલના પૈસા આપવાનો ઇનકાર કરવાનું શરૂ કર્યું હતું. એરલાઈન્સે મુસાફરોને પૈસાના બદલામાં ક્રેડિટ શેલ ઓફર કરવાનું શરૂ કર્યું, જેમાં પૈસાના બદલામાં તેઓ પછીથી ટિકિટ બુક કરાવી શકે છે.