ગોપાલગંજમાં આંગણવાડીની મિડ-ડે મિલ લીધા બાદ બાળકો બીમાર
મિલમાં મરેલી ગરોળી પડી હતી
ઘટના બાદ સેવિકા ફરાર
ગોપાલગંજમાં ગુરુવારે આંગણવાડી કેન્દ્રણા મિડ-ડે મિલમાં ખિચડી ખાવાથી 12 બાળકો બીમાર પાડી ગયા હતા. આ મામલો બરોલી પ્રખંડનાં સર્યા પહાડપુર ગામના આંગણવાડી કેન્દ્ર નંબર - 139નો છે. બાળકોનાં મા - બાપનો આરોપ છે કે મિડ -ડે મિલમાં ગરોળી પડી ગઈ હતી, જ્યાર બાદ ખીચડી ખાવાથી બાળકો બીમાર પડી ગયા હતા. બાળકોને પ્રાઈવેટ ક્લિનિકમાં લઇ જવામાં આવ્યા, જ્યાંથી તેમના વાલીઓ બધા બાળકોને સદર હોસ્પિટલમાં લઈને પહોંચ્યા.
આ બાળકો થયા બીમાર
સદર હોસ્પિટલનાં ડોકટરે બધા બાળકોને સ્વસ્થ જણાવ્યા અને ઓબ્ઝર્વેશન તરીકે થોડી વાર સુધી ઈમરજન્સી વોર્ડમાં રાખવાની વાત કરી. જે બાળકોને સદર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, તેમાંથી સોનમ ખાતૂન, ચાંદની કુમારી, આયુષ કુમાર, દીપાંશુ કુમાર, દિપૂ કુમાર, અનીશ કુમાર, આદિત્ય કુમાર, ખુશ્બૂ કુમારી વગેરે સામેલ છે.
ભોજનમાં મરેલી ગરોળી
જણાવવામાં આવી રહ્યું છે કે આંગણવાડી કેન્દ્રમાં બાળકોને ભોજનમાં ખીચડી આપવામાં આવી હતી. ખીચડી બનાવતી વખતે અચાનક ગરોળી પડી ગઈ. ત્યાર બાદ કોઈની પણ નજર ગરોળી પર ન પડી અને બધા બાળકોને ભોજન કર્યું. જ્યારે એક પછી એક બાળકની તબિયત બગડવા લાગી, તો તેમના વાલીઓને બોલાવવામાં આવ્યા અને મિડ-ડે મિલનાં વાસણોની તપાસ કરવામાં આવી અને પછી મરેલી ગરોળી મળી.
સંબંધીઓનાં તમાશા બાદ સેવિકા ફરાર
આંગણવાડી કેન્દ્રની સેવિકા અને તેનાથી સંબંધિત અધિકારી કંઈપણ બોલતા નથી. વાલીઓનો આરોપ છે કે આ ઘટના બન્યા બાદ સેવિકા ભાગી ગઈ હતી. સીડીપીઓ સહીત બધા બાળકોને સદર હોસ્પિટલથી ઘરે લઇ જવામાં આવ્યા હતા.