ગઢડા BAPS મંદિરના પૂજારી મહેન્દ્રસિંહ રાઠવાએ જ અમેરિકા જવાની લાલચે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું
ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
પ્રતાપસિંહ સિંધાની હત્યા થઇ હોવાનો ખુલાસો
મંદિરના પૂજારી મહેન્દ્રસિંહ રાઠવાએ હત્યા કરી હોવાનો ખુલાલો
અમેરિકા જવાની લાલચે હત્યા કરી હોવાનો દાવો
બોટાદ ગઢડા બીએપીએસ મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો હતો. જોકે હવે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. જેમાં મંદિરના અન્ય પૂજારીએ મૃતકની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રતાપ સિંહ સિંધા BAPS મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા હતા. જોકે હવે આ કેસમાં મંદિરના પૂજારી મહેન્દ્રસિંહ રાઠવાએ હત્યા કરી હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં અમેરિકા જવાની લાલચે હત્યા કરી હોવાની વિગત સામે આવી છે.
ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. જેમાં પ્રતાપસિંહ સિંધાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે. મંદિરના પૂજારી મહેન્દ્રસિંહ રાઠવાએ જ અમેરિકા જવાની લાલચે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. નોંધનીય છે કે, બોટાદ ગઢડા બીએપીએસ મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો હતો. જે બાદમાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
અમેરિકા જવાની લાલચે હત્યા
ગઢડા BAPS મંદિરમાંથી મળેલા મૃતદેહ કેસમાં વિગતો મુજબ મંદિરના પુજારી મહેન્દ્રસિંહને અમેરિકા મંદિરમાં મોકલવાના હતા. પરંતુ પ્રતાપસિંહે પોતાના દીકરાને અમેરિકા મોકલવાની ભલામણ કરી હતી. જેને લઈ બંને વચ્ચે મનદુઃખ થતા મહેન્દ્રસિંહ રાઠવાએ લોખંડની પાઇપ મારી પ્રતાપસિંહની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે મહેન્દ્રસિંહ સામે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
DySP સહિતનો કાફલો ઘટના સ્થળે
ગઢડા BAPS મંદિરમાંથી મૃતદેહ મળ્યા બાદ ભક્તો તથા મંદિર પ્રશાસનમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મહત્વનું છે કે આજે તહેવાર હોવાથી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ આ દુઃખદ ઘટનાને પગલે તેઓએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.