મધ્ય પ્રદેશના ખંડવામાં એક કળયુગી પુત્રએ તેની માતાનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં, પરિવારજનોની પાસે પણ મૃત મહિલાની અંતિમ વિધિ કરાવવા માટે સમય નથી.
મધ્ય પ્રદેશમાં કળયુગી પુત્રએ તેની માતાનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો
પરિવારજનો પાસે મૃત મહિલાની અંતિમ વિધિ કરાવવા માટે સમય નથી
છેલ્લાં ચાર દિવસથી શબઘરમાં મહિલાના મૃતદેહને કરાયો છે બંધ
પરિવારજનો પાસે મહિલાની અંતિમ વિધિ માટે સમય નથી
ખંડવાના જિલ્લા હોસ્પિટલના શબઘરમાં એક મહિલાનો મૃતદેહ છેલ્લાં ચાર દિવસથી રાખવામાં આવ્યો છે, પરંતુ અંતિમ સંસ્કાર માટે પરિવારનો કોઈ પણ સભ્ય આવવા માંગતો નથી. પુત્રએ તો માં સાથેનો સંબંધ કાપતા કહ્યું કે માં સાથે તેનો કોઈ અર્થ નથી. મોઘાટ પોલીસ છેલ્લાં ચાર દિવસથી મહિલાની લાશનુ પોસ્ટમોર્ટમ કરાવવાની સાથે તેના અંતિમ સંસ્કાર કરાવવાની પ્રક્રિયા માટે સતત પુત્ર અને પરિવારજનો સાથે ફોન પર સંપર્ક કરી રહી છે. પરિવારજનો છે કે મહિલાની અંતિમ વિધિ માટે સમય કાઢી શકતા નથી.
શું છે સમગ્ર મામલો
યવતમાલ જિલ્લાના વણી ગામમાં રહેતા 55 વર્ષીય પુષ્પા પતિ જોગેન્દ્ર સિંહનુ અકસ્માતમાં મોત થયુ હતુ. જિલ્લા હોસ્પિટલ પોલીસ ચોકી મુજબ 25મેના રોજ પુષ્પા તેની પુત્રી નિકિતા, ભત્રીજો અભિષેક અને ભત્રીજી પિન્કીની સાથે કાર દ્વારા બૈતૂલથી દેસલી થઇને ઓન્કારેશ્વર તરફ આવી રહી હતી. કાર ભત્રીજો અભિષેક ચલાવી રહ્યો હતો. દેસલી ગામની પાસે કારનું સ્ટીયરિંગ ગુમાવતા કાર પલટી ગઇ. આ અકસ્માતમાં પુષ્પા, નિકિતા અને પિન્કી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે, અભિષેક સુરક્ષિત હતો. અભિષેકે સ્થાનિકોની મદદથી ત્રણેયને ખંડવાના જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં પુષ્પાને તબીબે મૃત જાહેર કરી અને નિકિતા અને પિન્કીને નાગપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. પોલીસે પુષ્પાની લાશને પીએમ માટે શબઘરમાં મુકાવી દીધી. તો ભત્રીજો પોસ્ટ મોર્ટમ કરાવ્યાં વગર પુષ્પાનો મૃતદેહ અહીં છોડીને જતો રહ્યો.
સંપત્તિ વિવાદના કારણે પુત્રએ માં સાથે અંતર બનાવ્યું
મોઘાટના પોલીસ સ્ટેશનના ઈશ્વર સિંહ ચૌહાને જણાવ્યું કે અમે પુષ્પાના સાસરી પક્ષથી લઇને પુત્ર સન્ની, ભાઈ રાકેશ સિંહને પણ ફોન કરી રહ્યાં છે. પરંતુ તેઓ મૃતદેહ પણ લેવા આવ્યાં નથી અને અંતિમ વિધિમાં સામેલ થવા માટે સહમતિ આપી રહ્યાં નથી. જણાવવામાં આવ્યું છે કે પરિવારમાં સંપત્તિ વિવાદના કારણે પુત્રએ માં સાથે અંતર બનાવ્યું છે. માં અત્યારે પુત્રીઓ પાસે રહેતી હતી.