UPના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિના મૃત્યુ થતાં પોલીસ પંચનામું કરવા હોસ્પિટલના શબઘર પહોંચી હતી. ત્યારે માલુમ પડ્યું મૃત વ્યક્તિ શ્વાસ લઈ રહ્યો છે.
UPના મુરાદાબાદમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી,
મૃત્યુના 7 કલાક બાદ મૃતકના પુનઃ શ્વાસ શરૂ થયા
આ વાતની જાણ મૃતકના પરિવારને થતાં માતમ ખુશીઓમાં ફેરવાઈ
UPના મુરાદાબાદમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી,
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે સવારે 11 કલાક મુરાદાબાદ જિલ્લાની હોસ્પિટલમાં તે સમયે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો જ્યારે શબઘરમાં 7 કલાક રહ્યાં બાદ એક વ્યક્તિની શ્વાસ પુનઃ ચાલવા લાગી. પરિવાજનો જણાવ્યા અનુસાર માઝોલા પોલીસ ક્ષેત્રમાં રહેનાર શ્રીકેશ મોડી રાત્રે ઘરેથી દુધ લેવામાં નીકળ્ચાં હતાં.ત્યારે રસ્તામાં એક શ્રીકેશ સાથે એક દુર્ઘટના ઘટી હતી. પરિવારજનો આ ઘટના જાણ થતાં તેઓ સારવાર માટે એક પછી એક ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવા લઈ ગયા પરતું અંતે શ્રેકેશને મૃત ધોષિત કરવામાં આવ્યો હતો. અંતમાં પરિવારજનો શબનું પોસ્ટમોર્ટમ કરવા માટે મોડી રાત્રે જિલ્લાની હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં. જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં હાજર ડોકટર મનોજે પણ શ્રીકેશને તપાસ્યા બાદ તેને મૃત ઘોષિત કર્યો હતો. અને શબને પોસ્ટમોર્ટમ માટે શબઘર મોકલી આપ્યો હતો.
મૃત ધોષિત વ્યક્તિની ચાલી રહ્યો શ્વાસ
શુક્રવારની સવારે જ્યારે પોલીસ શબનું પંચનામું તૈયાર કરી રહી હતી. ત્યારે અહેસાસ થયો હતો. આ મૃત વ્યક્તિનો શ્વાસ તો ચાલી રહ્યો છે. આ વાતની જાણકારી હાજર પરિવારજનો તરત જ હોસ્પિટલના ડોકટરને આપતાં તુરંત જ ડોકટરોને ચેકઅપ કરી તે વ્યક્તિને જીવતો હોવાની પુષ્ટી કરતાં તુરંત તેની સારવાર માટે જિલ્લાના હોસ્પિટલમાં ભરતી કરી તેનો ઈલાજ શરૂ કરી દીધો
આ વાતની જાણ મૃતકના પરિવારને થતાં માતમ ખુશીઓમાં ફેરવાઈ
જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે પરિવારમાં માતમ ખુશીમાં ફેરવાઈ ગયો અને તરત જ ડોક્ટરે આવીને વ્યક્તિનું ચેકઅપ કર્યું અને તેને ફરીથી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. અગાઉ હોસ્પિટલમાં પણ મૃત જાહેર કરાયા બાદ ગત રાત્રે 4.30 કલાકે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો.
મૃતકને ત્રણ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયો હતો.
શ્રીકેશના પરિવારજનોએ જણાવ્યું કે, શ્રીકેશનું મોડી રાત્રે અકસ્માતની જાણ થતાં શ્રીકેશની પત્ની મુરાદાબાદની વિવિધ ત્રણ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈને પહોચી પરંતુ ત્યાં ડોકટરો મૃત ધોષિત કરી દેવામાં આવ્યા હતાં.