દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર તાલુકાના તલાટીઓ આવતા ન હોવાની ફરિયાદ ઉઠતા DDOએ TDOને આપ્યો હતો આદેશ, વીડિયો કોલમાં 11 તલાટીઓ ગેરહાજર હોવાની મળી જાણકારી, ગેરહાજર 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી લેવાનો કરાયો આદેશ.
11 તલાટીનો એક દિવસનો કપાશે પગાર
4 તાલુકાના 11 તલાટીઓ ફરજ પર ગેરહાજર
એક દિવસનો પગાર કાપવા અપાયો આદેશ
ગાંધીનગર જિલ્લાના 11 તલાટીનો એક દિવસનો પગાર કાપવામાં આવશે. આ 11 તલાટીઓ ફરજ પર હાજર ન રહેતા તેમનો એક દિવસનો પગાર કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
DEOના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી બેઠક
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં DEOના અધ્યક્ષ સ્થાને વિકાસલક્ષી કામો માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આ તાલુકાના 11 તલાટીઓ હાજર ન રહેતા હોવાનીની ફરિયાદ ઉઠી હતી. બેઠકમાં સ્થાનિક કક્ષાએ તલાટીઓ ન આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઇને મંગળવારે ડીડીઓ દ્વારા તમામ તાલુકાના ટીડીઓને વીડિયો કોલ કરી તલાટીઓની હાજરી જાણવાનો આદેશ કરાયો હતો.
તમામ તાલુકાના TDOને અપાયો હતો આ આદેશ
બાદમાં વીડિયો કોલ કરી ફરજના સ્થળ પર હાજર તલાટીઓની હાજરી ચકાસાઈ હતી. વીડિયો કોલમાં દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર તાલુકાના 11 તલાટીઓ ગેરહાજર હોવાની જાણકારી મળી હતી. જે બાદ ગેરહાજર 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી લેવાનો આદેશ કરાયો હતા.
11 તલાટીઓ ગેરહાજર રહેતા કાર્યવાહી
આ 11 તલાટીઓ ગેરહાજર રહેતા એક દિવસનો પગાર કાપવા આદેશ અપાયો છે. આ બનાવને લઇને સમગ્ર જિલ્લાના તલાટીઓમાં સોપો પડી ગયો હતો. આગામી સમયમાં ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવશે.