રાજકોટમાં ભારે વરસાદથી થયેલ નુકશાનનો સર્વે પૂર્ણ. રાજકોટ જિલ્લાના 445 ગામોમાંથી 156 ગામોનો જ નુકશાન. જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે મુખ્યમંત્રીને પત્ર લખી રિ-સર્વેની કરી માગ
રાજકોટમાં વરસાદથી થયેલ નુકસાનનો સર્વે પૂર્ણ
156 ગામોને નુકસાન:એક પણ ગામમાં સર્વે બાકી નથી
જિલા પંચાયત પ્રમુખની રિ સર્વે માટે માંગ;CMને પત્ર
ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતા અન્ય જીલ્લાઓમાં વાવાઝોડા અને ભારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે.હાલમાં રાજ્ય સરકારે જામનગર,જૂનાગઢ,ગીર-સોમનાથ અમરેલી જેવા જિલ્લાઓમાં તૌક્તે વાવાઝોડા અને ત્યાર બાદ ભારે વરસાદથી પૂર પરિસ્થિતિથી થયેલા નુકસાનનો સર્વે કર્યો અને સહાય પણ ચૂકવવા જાહેરાત કરી છે. આ વચ્ચે રાજકોટમાં DDOએ પણ જાહેર કયું કે, ભારે વરસાદથી થયેલ નુકશાનનો સર્વે પૂર્ણ થયો છે અને રાજકોટ જિલ્લાના 445 ગામોમાંથી 156 ગામોનો જ નુકશાન થયું છે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે મુખ્યમંત્રીને પત્ર લખી રિ-સર્વેની માગણી કરી છે.
સરકાર કહેશે તો કરીશું રિ-સર્વે -DDO
રાજ્ય સરકારે વાવાઝોડાથી થયેલા ખેતીના નુકસાન માટેની સહાય જાહેર કરી દીધી છે.સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ વધુ અસરગ્રસ્ત હતા તેઓ માટે જાહેરાત થઇ ગઈ.દરમિયાન રાજકોટમાં DDO દેવ ચૌધરી અને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર સર્વે કામગીરીને લઈને આમને-સામને આવી ગયા જેવી સ્થિતિ છે. DDOએ કહ્યું છે કે, રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પૂર્ણ કરાયો છે જેમાં જિલ્લાના 445 ગામો માંથી 156 ગામોનો જ નુકશાન થયું છે. રાજકોટના 156 ગામોમાં પાકને વધુ નુકસાન થયું છે. ત્યારે, જિલ્લામાં 33% વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા 10237 થઈ છે. હવે રાજકોટ જિલ્લામાં એક પણ ગામમાં સર્વે બાકી નથી. રાજકોટ જીલ્લાના સર્વેને લઈને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે,રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રિ-સર્વેની માંગણી કરી છે. પત્ર લખવા બાબતે DDOએ કહ્યું છે કે, સરકાર કહેશે તો રિ-સર્વે પણ કરીશું.પરંતુ હાલના સર્વેમાં કોઈ ભૂલ નથી.
કોઈ ખેડૂત સહાય વંચિત ન રહે તેવી લાગણી -બોદર
ઉલ્લેખનીય છે કે,રાજકોટ જિલા પંચાયત પ્રમુખ બોદરે,રાજ્ય સરકારને અભિનદન પાઠવતા કહ્યું કે, રાજ્યના જામનગર,રાજકોટ, જુનાગઢ અને પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા મળેલી નુકસાનીની વિગત બાદ અસરગ્રસ વિસ્તારમાં SDRF સહીત રાજ્યના બજેટમાંથી ;કૃષિ સહાય/રાહત આપવા બદલ હાર્દિક અભિનદન.પરંતુ, રિ-સર્વેની માંગણીથી કોઈ અસરગ્રસ્ત ખેડૂત સહાય થી વંચિત ના રહે તેવી લાગણીથી રિ-સર્વેની માગણી કરી છે.
ખેડૂતો 20 નવેમ્બર સુધીમાં કરે અરજી ;જિલ્લા પંચાયત પ્રમુખ
જિલ્લા પંચાયત પ્રમુખ બોદરે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી સઘળી હકીકતથી વાકેફ તો કર્યા જ છે સાથે તેમણે નિવેદન પણ આપ્યું કે, રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર રૂપિયા 13 હજાર સહાય આપશે અને વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય કરશે 33% કરતા વધુ નુકસાની પર ખેડૂતોને સહાય મળી શકે છે. આ ઉપરાંત, SDRFના ધોરણ કરતા વધારાની રકમ સરકારી બજેટમાંથી આપશે. ખેડૂતોને ઓછામાં ઓછા રૂપિયા 5,000 સહાય ચૂકવવામાં આવશે. આ માટે 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતો કરી અરજી શકશે