પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન (DDCA)એ મંગળવારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ રાખવાનો નિર્ણય કર્યો છે.
ડીડીસીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ જાણકારી આપી. અરુણ જેટલી ડીડીસીએના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. અરુણ જેટલીનું 24 ઓગસ્ટે નિધન થયું હતું. તે ઘણા દિવસોથી એમ્સમાં ભરતી હતા.
અરુણ જેટલીએ 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. 12 સપ્ટેમ્બરના દિવસે એક સમારોહમાં નામકરણ થશે. આ સમારોહ જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં થશે. તેમા ગૃહમંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરણ રિજિજૂ પણ હાજર રહેશે.
ડીડીસીએના ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, કોટલા નામ હવે અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ડીડીસીએના પૂર્વ પ્રેસિડેન્ટ માટે આ અમારી શ્રદ્ધાંજલિ છે. અરુણ જેટલી 1999થી 2003 સુધી ડીડીસીએ ના અધ્યક્ષ રહ્યા હતા.
News Alert: Kotla to be renamed as Arun Jaitley Stadium.
In a fitting tribute to its former president Arun Jaitley, @delhi_cricket has decided to name the Stadium after him. Mr Jaitley, who passed away on August 24, was president of the DDCA from 1999 to 2013. @BCCI
આ પહેલ પર વાત કરતા ડીડીસીએના વર્તમાન અધ્યક્ષ રજત શર્માએ કહ્યું, આ અરુણ જેટલીનું સમર્થન અને પ્રોત્સાહન જ હતી કે વિરાટ કોહલી, વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આશીષ નેહરા, ઋષભ પંત જેવા ઘણા ક્રિકેટર ભારતનું નામ રોશન કરી રહ્યા છે. અરુણ જેટલીના ડીડીસીએના અધ્યક્ષ રહેતા જ ફિરોજશાહ કોટલાનો કાયાકલ્પ થયો હતો.