અમદાવાદમાં બુટલેગર અને પોલીસ વચ્ચે સાંઠગાંઠની ઘટના સામે આવી હતી. પોલીસ કંટ્રોલરૂમથી બુટલેગરને માહિતી પહોંચી હોવાનું સામે આવ્યું હતું. બુટલેગરને તેની સામે આવેલી ફરિયાદ અંગે પોલીસ જ માહિતી આપતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે પોલીસે આ વાતને નકારી છે. આવી કોઇ ઘટનાના પુરાવા ન મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ કંટ્રોલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના બુટલેગર સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસ અને બુટલેગરના કનેક્શનને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ મામલાને લઇને કંટ્રોલ DCPએ જણાવ્યું હતું કે, પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
આ તપાસમાં ઘટનાના પુરાવા નથી મળ્યાઃ DCPનો દાવો
અમદાવાદના પોલીસ કંટ્રોલ ઓફિસના વિવાદના મામલે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે. કંટ્રોલ DCP વિજય કુમારે VTVને આપી માહિતી હતી. તેમણે જણાવ્યુ હતું કે સમગ્ર મામલે 3 DCPની તપાસ કમીટી રચાઈ છે. તેમાં ક્રાઈમબ્રાન્ચ DCP, ઝોન-4 DCPનો સમાવેશ થશે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતું કે કંટ્રોલ DCP પણ ઘટનાને લઈને તપાસ કરશે. આ તપાસમાં ઘટનાના પુરાવા નહીં મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. તો આ તરફ DCPએ આ ઘટનાને લઇને અજાણ હોય તેવું નિવેદન કર્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી. સ્થાનીક પોલીસે માહિતી લીક કરી હોવાનું અનુમાન છે. આ તપાસના અંતે ગુનેગાર સામે કાર્યવાહી થશે. બુટલેગરની બાતમી આપનાર ફરિયાદીને ધમકી મળી હતી. કંટ્રોલમાં ફોન કરતા ફરિયાદીનો નંબર લીક થયો હતો.
શું મામલો દબાવી દેવાનો પ્રયાસ ?
ત્યારે અનેક સવાલ થાય છે કે, બુટલેગર-પોલીસની સાંઠગાંઠમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ ? પત્રકારની વાતચીત રેકોર્ડ થઈ તે પણ નથી દેખાતી ? કંટ્રોલરૂમમાં જાણભેદુ છે છતા કેમ સ્વીકારતા નથી ? ગુનેગારોને છાવરવામાં પોલીસને એવો કયો રસ છે ? લોકો પોલીસતંત્ર પર વિશ્વાસ કઈ રીતે કરશે ? અત્યાર સુધી તપાસમાં કોઈ પુરાવા મળ્યા જ નથી ?