ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતીય સીરમ ઈન્સ્ટિટ્યૂટને કહ્યું કે દવા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા બીજા દેશોમાં ઓક્સફોર્ડની રસીનું પરિક્ષણ રોકી દેવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ માટે નવા ઉમેદવારોની ભરતી અને નવા આદેશ સુધી રોકી દેવામાં આવે.
બીજા અને ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલ માટે આદેશ
ડોઝ લેનારા લોકોની સુરક્ષાની વ્યવસ્થા વધારે. સાથે યોજના અને રિપોર્ટ રજુ કરે
નવા ઉમેદવારોની ભરતી અને નવા આદેશ સુધી રોકી દેવામાં આવે
મહાનિયંત્રક ડૉક્ટર વીજી સોમાનીએ શુક્રવારે એક આદેશમાં ભારતીય સીરમ સંસ્થાન(એસઆઈઆઈ)ને એમ પણ કહ્યું કે પરિક્ષણ દરમિયાન રસીના તમામ ડોઝ લેનારા લોકોની સુરક્ષાની વ્યવસ્થા વધારે. સાથે યોજના અને રિપોર્ટ રજુ કરે.
મહાનિયંત્રકે આ આદેશની કોપી એક ન્યૂઝ એજન્સી પાસે છે. જેમાં આદેશ મુજબ સોમાનીએ કંપનીને એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં પરિક્ષણ માટે નવી ભર્તી કરતા પહેલા તેમની ઓફિસ (ડીસીજીએ)ને પૂર્વાનુમતિ માટે બ્રિટન અને ભારતમાં ડેટા એન્ડ સેફ્ટી મોર્નિટરિંગ બોર્ડ (ડીએસએમબી) દ્વારા મળેવી પરવાનગી જમા કરાવે. ડીસીજીએ એસ્ટ્રાજેનેકા દ્વારા બીજા દેશોમાં રસીનું પરિક્ષણ રોકી દેવાને લઈને માહિતી નહી આપવાને લઈન સપ્ટેમ્બરે એસઆઈઈને કારણ રજુ કરો નોટિસ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ટ્રાયલ પર વિવાદ થવા પર ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટને બુધવારે કારણદર્શક નોટિસ આપી હતી. નોટિસમાં પુછવામાં આવ્યું હતું કે દર્દીની સુરક્ષાને લઈને ઉઠી રહેલી શંકાને ખતમ થવા સુધી કોરોના વેક્સીનનું ટ્રાયલ કેમ રોકવામાં નથી આવ્યું? નોટિસ મળ્યાનાં થોડા જ કલાકોમાં ઈસ્ટીટ્યૂટે નિવેદન જાહેર કર્યુ હતું કે અમને ટ્રાયલ રોકવા માટે કોઈ નિર્દેશ મળ્યા નહોંતા.
સીરમ ઈન્સ્ટીટ્યૂટે કહ્યું હતું કે ‘અમે ડીસીજીઆઈના નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ. અમે ટ્રાયલ રોકવાનું કહેવામાં નહોતું આવ્યું. જો ડીસીજીઆઈને સુરક્ષાને લઈને કોઈ ચિંતા છે તો અમે તેમના નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન કરીશું. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા બુધવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ પર વેક્સીન ટ્રાયલને લઈને તાજા અપડેટ નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો.