ICMR દ્વારા કોવિડ-19 ઇલાજ માટે શુદ્ધ એંટીસેરા વિક્સિત કરવામાં આવી છે. ICMRના મહાનિદેશ ડો. બલરામ ભાર્ગવે મંગળવારે જણાવ્યું કે અમે હોર્સ સેરા વિકસિત કર્યું છે અને અમે તેના ક્લીનિકલ પરીક્ષણ અંગે મંજૂરી મળી ગઇ છે.
ઘોડાઓમાં અસક્રિય સાર્સ-સીઓવી2નું ઇંજેકશન આપી કરાયું વિકસિત
ઉલ્લેખનીય છે કે ICMRએ હૈદરાબાદમાં આવેલ એક બાયોફૉર્માસ્યુટિકલ કંપનીની સાથે મળીને અત્યંત શુદ્ધ એંટીસેરા વિકસિત કરી છે જેનાથી કોવિડ-19નો સંભવિત ઇલાજ થઇ શકે છે. આ અત્યંત શુદ્ધ એંટીસેરાને ઘોડાઓમાં અસક્રિય સાર્સ-સીઓવી2નું ઇંજેકશન આપીને વિકસિત કરવામાં આવી છે.
આ પહેલા ICMRએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે ICMR અને બાયોલૉજિકલ ઇ લિમિટિડ, હૈદરાબાદે કોવિડ-19ની રસી અને ઇલાજ માટે અત્યંત શુદ્ધ એંટીસેરા વિકસિત કરી છે.
એંટીસેરા એક પ્રકારનું બ્લડ સીરમ છે જેમાં કોઇ વિશેષ રોગાણુથી લડવાની ક્ષમતા રાખનારી એંટીબોડીની માત્રા વધારે હોય છે. કોઇપણ વિશેષ સંક્રમણથી લડવા માટે રોગ પ્રતિરોધક ક્ષમતાને તત્કાલ વધારવા માટે મનુષ્યને આ ઇંજેકશનના માધ્યમથી આપવામાં આવે છે.