ભારતમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. દેશમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધતા કેટલાંક રાજ્યોએ ફરી લોકડાઉનનો સમયગાળો વધારી દીધો છે. આ બધા વચ્ચે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડના દર્દી માટે Itolizumab Injectionની મંજૂરી આપી છે.
કોરોનાના કહેર વચ્ચે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં તેની વેક્સીનની કાગડોળે રાહ જોવાઇ રહી છે. આ બધા વચ્ચે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોવિડના દર્દી માટે Itolizumab Injectionની મંજૂરી આપી છે. જો કે DCGIએ સ્પષ્ટ કર્યું છે કે તેનો ઉપયોગ માત્ર ઇમરજન્સી સમયમાં જ કરવામાં આવે.
પ્રાપ્ત મળતી જાણકારી મુજબ ઘણા ટેસ્ટોમાં Itolizumab Injectionના પરીણામ સંતોષજનક આવ્યાં બાદ DCGIએ મંજૂરી આપી છે. એવા સમયે કોરોના સંક્રમિતો માટે આશાનું એક વધુ કિરણ જોવા મળ્યું છે. આ ઇંજેકશન છેલ્લા ઘણા વર્ષોથી Psoriasisના દર્દીના ઇલાજ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. જેનું નિર્માણ બાયોકૉન લિમિટેડની દવા છે.