કોરોના મહામારીમાંથી ઊગરવા માટે ભારત સરકાર હવે એક નવું પગલું ભરવા જઈ રહી છે
ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારત બાયોટેકને આપી મંજૂરી
525 વોલેન્ટિયર્સ પર થશે પરીક્ષણ
ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો વધુ છે
ગુરુવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારત બાયોટેકને આપી મંજૂરી
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારત બાયોટેકને 2 થી 18 વર્ષનાં બાળકો પર કોવેક્સિનની ટ્રાયલ કરવાની મજૂરી આપી દીધી છે. સેંટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી SEC એ મંગળવારે હૈદરાબાદની ભારત બાયોટેકનાં પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી.
525 વોલેન્ટિયર્સ પર થશે પરીક્ષણ
જાણકારી અનુસાર ભારત બાયોટેક 525 વોલેન્ટિયર્સ પર આ પરીક્ષણ કરશે. 2 થી 18 વર્ષનાં બાળક પર થતી આ ટ્રાયલનો ફેઝ 2 અને ફેઝ 3 છે. ટ્રાયલ દરમ્યાન પહેલી વેક્સિનનો ડોઝ અને બીજી વેક્સિનનો ડોઝ 28 દિવસનાં અંતર પર આપવામાં આવશે. અમેરિકામાં 12 થી 15 વર્ષનાં બાળકોને વેક્સિનની મંજૂરી મળી ગયા બાદ ભારતમાં પણ બાળકો માટે "કોવેક્સિન" ની ટ્રાયલ શરૂ કરવામાં આવશે થશે
ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો વધુ છે
હાલમાં ભારતમાં બીજી લહેર ચાલી રહી છે અને તેના પ્રકોપે સરકારની સ્વાસ્થ્ય સિસ્ટમ સાવ પડી ગઈ છે. જેનાં પરિણામે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. આ સાથે જ એક્સપર્ટ લોકોએ સલાહ આપી હતી કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે જે બાળકોને પર સૌથી વધુ અસર કરશે. જેનાં પરિણામે કેટલાય રાજ્યોએ બાળકો માટે હોસ્પિટલ બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. છેલ્લે તો વેક્સિન જ કોરોનાથી સુરક્ષિત રહેવાનો ઉપાય છે. ભારત બાયોટેકે જણાવ્યું છે કે હાલ અમે 18 રાજ્યોમાં કોવેક્સિન ડાયરેક્ટ જ પહોંચાડી રહ્યા છીએ. આ જાણકારી તેમણે ટ્વિટર પર આપી હતી કે અમે 1 મે થી હવે રાજ્યોને વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, દિલ્હી, બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બંગાળ, આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, ત્રિપુરા, તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સામેલ છે. અને અમે આ સપ્લાય ચાલુ જ રાખીશું.