દેશમાં પહેલી એમઆરએનએ રસી પર પરિક્ષણનું એક ચરણ ડીબીટી વિભાગના વિશેષજ્ઞોએ પુરુ કરી લીધુ છે.
એમઆરએનએની રસીનું પહેલુ ચરણ પુરુ થઈ ચુક્યુ
વિશેષજ્ઞ સમિતિએ શેર કર્યા પરિણામ
ભારતની પહેલી એમઆરએનએ રસી એન્ટીબોડી વિકસિત કરવામાં સફળ
એમઆરએનએની રસીનું પહેલુ ચરણ પુરુ થઈ ચુક્યુ
એમઆરએનએ રસી આવનારા વર્ષ સુધીમાં આવવાની આશા છે. જેના ઓછામાં ઓછા એક ડોઝના માધ્યમથી જ એન્ટીબોર્ડી વિકસિત થઈ શકે છે. ભારત સરકારે ડીબીટી વિભાગના વિશેષજ્ઞોની મદદથી તૈયાર આ રસીને પહેલા પશુઓ પર ટેસ્ટ કરવામાં આવી અને આ બાદ માનવ પરિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. હાલમાં પહેલુ ચરણ પુરુ થઈ ચુક્યુ છે પરંતુ હજું પણ 2 તબક્કાનું પરિક્ષણ બાકી છે.
વિશેષજ્ઞ સમિતિએ શેર કર્યા પરિણામ
જાણકારી અનુસાર જેનોવા ફાર્મા કંપનીએ એમઆરએનએ રસીને તૈયાર કરી છે. કંપનીના ઓબ્જર્વેશન હેઠળ દેશના અલગ અલગ હોસ્પિટલમાં આના પર અધ્યયન ચાલી રહ્યું છે. ત્યારે પહેલા ચરણનું પરિક્ષણ પુરુ થઈ ચુક્યુ છે. જેને કંપની આ અઠવાડિયમાં વિશેષજ્ઞ કાર્યકારી સમિતિ (એસઈસી)ને સોંપવા જઈ રહી છે. આ પરિક્ષણ પરિણામના આધાર પર જ એસઈસી આગળનું પરિક્ષણ લઈને નિર્ણય કરશે.
ભારતની પહેલી એમઆરએનએ રસી એન્ટીબોડી વિકસિત કરવામાં સફળ
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પહેલા ચરણ દરમિયાન રસીમાં એ જોવા મળે છે કે કોરોનાની વિરુદ્ધ એન્ટીબોડી બની રહી છે અથવા નહીં. અત્યાર સુધી જે જાણકારી સામે આવી છે તેના આધાર પર આ કહી શકાય છે કે ભારતની પહેલી એમઆરએનએ રસી કોરોનાની વિરુદ્ધ એન્ટીબોડી વિકસિત કરવામાં સફળ રહી છે. પરંતુ હજું આની સુરક્ષા અને એન્ટીબોડીના સ્તર પર જાણવી જરુરી છે. એટલા માટે કંપનીને નેક્સ બે ચરણ પુરા કરવાની પરવાનગી આપી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રસી વિજ્ઞાનને લઈને ભારત એક અનૂઠી અને ઐતિહાસિક લડાઈ લડી રહ્યા છે. કોવાક્સિનના માધ્યમથી ભારતે પહેલી એવી રસી ઉપલબ્ધ કરાવી છે જેને કોરોનાના માધ્યથી બનાવવામાં આવી છે.