વટવામાં થોડાક દિવસ પહેલા થયેલી દિનેશ ચૌધરીની હત્યા કેસમાં રાજસ્થાનની કોટપુટલી પોલીસે સોપારી કિલર દયાલસિંહની ધરપકડ કરી છે. જ્યારે વટવા પોલીસે અન્ય બે આરોપી નંદકિશોર શર્મા અને મનીષ શર્મા ધરપકડ કરી છે.
સાગરિતોને છોડાવવા હત્યા કરવાનો દોર શરુ થયો હતો
દિનેશ ચૌધરીના ખીસા માંથી 3500 રુપિયાની લૂંટ કરી
પત્ની જમવા ગઈ અને પતિની ગોળી મારી હત્યા કરાઈ
હત્યોનો ભેદ ઉકેલાયો
રાજસ્થાનથી કોટપુટલી પોલીસે દયાલસિંહની ધરપકડ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ત્યારે વટવા પોલીસે બન્ને નંદકિશોર અને મનીષ શર્માની ધરપકડ કરીને શ્રવણ જોષીની શોધખોળ શરુ કરી છે. દિનેશ ચૌધરીની લૂંટનાં ઇરાદે હત્યા કરવા માટે દયાલસિંહ તેની ગેંગને લઇને આવ્યો હતો..
પત્ની જમવા ગઈ અને પતિની ગોળી મારી હત્યા કરાઈ
વટવા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા કિરાણા સ્ટોર ધરાવતા અને મુળ રાજસ્થાનના દિનેશ ચૌધરીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને હત્યા કરવાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. દિનેશ ચૌધરીની પત્નિ રાત્રે જમવાનું બનાવવા માટે ઘરે ગઈ હતી ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં વટવા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી હતી.
આરોપીએ હત્યા કર્યાનું કબુલ્યું
વટવા પોલીસ તપાસ કરતી હતી ત્યારે રાજસ્થાનની કોટપૂતલી પોલીસને બે આરોપીઓની હથીયાર સાથે ધરપકડ કરી હતી. કોટપૂતલી પોલીસે દયાલસિંહ રાજપુત અને પ્રભુસિંહની ધરપકડ કરીને પુછપરછ કરી તો તેમાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે કોટપુતલી વિસ્તારમાં સોપારી લઇને હત્યા કરવા માટે આવ્યા હતા. દયાલસિંહની પુછપરછમાં તેને દિનેશ ચૌધરીની હત્યા કરી હોવાની પણ કબુલાત કરી હતી. દયાલસિંહે રાજસ્થાન પોલીસ સમક્ષ કબુલાત કરી છેકે ડ્રગ્સ કેસમાં પંજાબની જેલમાં બંધ ભુપેન્દ્રસિંહ કે જે કૃખ્યાત લેરિસ વિશ્નોઇનો સાથીદાર છે તેમને કોટપુતલી વિસ્તારમાં એક વ્યકિતની હત્યા કરવા માટેની સોપારી આપી હતી.
સાગરિતોને છોડાવવા હત્યા કરવાનો દોર શરુ થયો હતો
દયાલસિંહ પોલીસ સમક્ષ જણાવ્યુ છે કે ગુજરાત બોર્ડર પર પોલીસ સાથે થયેલી બબાલમાં ગુજરાત પોલીસે દયાલસિંહના કેટલાક સાગરીતોની ધરપકડ કરી હતી જેમને છોડાવવા માટે રુપિયાની જરુર હોવાથી સોપારી લઈને હત્યા કરવાનું શરુ કરી દીધુ હતું. દયાલસિંહ, નંદકિશોર શર્મા, મનીષ શર્મા અને શ્રવણ જોશી વટવામાં લૂંટ કરવા માટે આવ્યાં હતાં અને દિનેશ ચૌધરી પર ફાયરીંગ કર્યુ હતું જોકે તેનુ મોત ગયુ હતું.
દિનેશ ચૌધરીના ખીસા માંથી 3500 રુપિયાની લૂંટ કરી
દયાલસિંહ દિનેશની દુકાનમાં પડેલા રુપિયા લૂંટવા માટે આવ્યો હતો જોકે અચાનક ફાયરીંગ થઇ જતા દિનેશનું મોત થયુ હતું જેથી અન્ય લોકોએ દિનેશના ખીસા માંથી 3500 રુપિયા લૂંટી લીધા હતા.
રાજસ્થાનનો ખુંખાર છે દયાલસિંહ
ઉદેયપુરમાં 20 લાખ રુપિયાની બેંકમાં લૂંટ કરી હતી આ સિવાય અજમેરમાં કાર લૂંટી હતી ગોધરામાં પણ પાંચ લાખ રુપિયાની લૂંટ કરીને નાસી ગયા હતા જેમાં દયાલસિંહ હથિયાર છોડીને નાસી ગયો હતો. દયાલસિંહ વિરુધ્ધમાં 17 ગુના દાખલ થયા છે જેમાં લૂંટ હત્યા બળાત્કાર ધાડ પાડવી જેવાના ગુનાનો સમાવેશ થાય છે.