ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકો લાંબા સમયથી દયાબેનની રાહ જોઇ રહ્યાં છે અને જો તમે પણ શો તેની રાહ જોવામાં જોઈ રહ્યાં છો તો તમારા માટે મોટી ખુશખબર છે.
શું TMKOCમાં દયાબેનની વાપસી થશે?
સીરિયલના દર્શકો આતુરતાપૂર્વક જોઇ રહ્યાં છે રાહ
દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે આપ્યો મોટો સંકેત
જેઠાલાલે આપી હિન્ટ
હાલના એપિસોડને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બની શકે કે શોમાં ટૂંક સમયમાં દયાબેનની વાપસી થાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેનની શું ટૂંક સમયમાં વાપસી થવાની છે? દિશા વકાની 2017માં મેટરનિટી બ્રેક પર ગઇ ત્યારબાદ દરેકના મનમાં આ પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે. શું તે પાછી આવશે અથવા તેને બદલી નાખવામાં આવશે. જેનો જવાબ 5 વર્ષ બાદ પણ મળ્યો નથી. જ્યાં દર્શકો શોમાં દયાબેનની વાપસી થશે કે નહીં તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. તો દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે હાલમાં એક મોટો સંકેત આપ્યો છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ રોશનને કહે છે કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસોમાં પાછી આવી જાય છે. આ એ વાતચીત દરમ્યાન કહેવામાં આવ્યું જ્યારે જેઠાલાલ કહે છે કે દયા જ્યારથી અમદાવાદ ગઇ છે ત્યારથી ઘરે પાછી આવી નથી. તારકે ફરીથી જેઠાલાલને કહ્યું કે તેઓ હવે ભાભીને ઘરે પાછી લઇને આવે, કારણકે અમદાવાદ દૂર નથી.
કોરોના પૂરો થવાની જોઈ રહ્યાં છે રાહ
જેઠાલાલ ઉદાસ જોવા મળ્યા અને તારકને કહ્યું કે જ્યારે પણ તે દયાને પાછી લેવા માટે અમદાવાદ જવાની યોજના બનાવે છે, તો કોવિડ-19ના નિયમો તેને રોકે છે અને તે તેની રમત બગાડે છે. દયાબેનની વાપસી અંગે એક મોટો સંકેત આપતા જેઠાલાલે કહ્યું કે એક વખત જ્યારે કોરોના સમાપ્ત થાય તો તે દયા અને તેનો પરિવાર યાત્રા પર નિકળી જશે.