ટીવીના પોપ્યુલર શોઝમાંથી એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના હાલમાં જ 3 હજાર એપિસોડ પૂરા થયા છે. આ અવસર પર ફેન્સે શોના મેકર્સને અભિનંદન પાઠવ્યા અને સાથે જ દયાબેન એટલે કે દિશા વાકાણીને શોમાં પાછા લઈ આવવાની માંગ પણ કરી. હવે એવું લાગે છે કે, મેકર્સ ફેન્સની આ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યાં છે. એવા સમાચાર છે કે, મેકર્સ નવરાત્રિ સુધી દયાબેનને શોમાં પાછા લાવી શકે છે.
સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે, મેકર્સ ઘણાં લાંબા સમયથી શોમાં દયાબેન એટલે કે દિશા વાકાણીના કમબેકની રાહ જોઈ રહ્યાં છે. આ અંગે તેની સાથે વાત પણ ચાલી રહી છે. જોકે, પરિવાર તરફથી કરવામાં આવી રહેલી માંગ દિશાના કમબેકમાં અડચણ બની રહી છે. કારણ કે તેની ફેમિલીની ઘણી ડિમાન્ડ છે.
જોકે, હવે મેકર્સ દયાબેનને લાવવાની પૂરી તૈયારી કરી દીધી છે પછી ભલે દિશા વાકાણી નહીં માને તો પણ દર્શકો માટે નવરાત્રિ સુધી દયાબેનની વાપસી કરાવશે.
ત્યારે થોડાં સમય પહેલાં જ નેહા મહેતા અને ગુરૂચરણ સિંહે તારક મહેતાને અલવિદા કહી દીધું. નેહા મહેતા શોમાં અંજલિ તારક મહેતાનો રોલ પ્લે કરી રહી હતી, તો તેને સુનૈના ફોઝદારે રિપ્લેસ કરી અને ગુરૂચરણની જગ્યાએ સોઢીના પાત્રમાં એક્ટર બલવિંદર સિંહે એન્ટ્રી લીધી.