પાછલા દિવસોમાં જ્યારે દયાબેનની શોમાં વાપસીને લઈને ખબર આવતી હતી તો પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે તે દયાબેનને પરત લઈને આવી શકે છે. જો તે સાચુ છે તો સોશિયલ મીડિયા પર જે પ્રોમો સામે આવ્યો છે. તેનાથી તો એવું જ લાગી રહ્યું છે કે દયાબેનની વાપસી થઈ ગઈ છે.
તારક મેહતામાં થઈ રહી છે દયાબેનની વાપસી
મેકર્સે રિલીઝ કર્યો નવો પ્રોમો
જેઠાલાલ પણ થયા ખુશ
એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફ દયાબેન ટીવીના પોપ્યુલર શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'થી પાછલાં પાંચ વર્ષોથી દૂર છે. પરંતુ હવે શોના નવા પ્રોમોએ ફેન્સને ચોંકાવી દીધા છે. અથવા તો એમ કહો કે મેકર્સે ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા છે. નવા પ્રોમોમાં દયાબેન સાડી પહેરીને દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર સામે આવ્યો પ્રોમો
થોડા દિવસો અગાઉ જ્યારે દયાબેનની શોમાં વાપસીને લઈને ખબર આવી હતી તો પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે દયાબેન વાપસી કરવા જઈ રહી છે. મેકર્સે જે પ્રોમો શેર કર્યો હતો. તેમાં જોઈ શકાય છે કે દયાબેનનો ઓનસ્ક્રીન ભાઈ સુંદરભાઈ પોતાના જીજીજી જેઠાલાલને ખુશખબરી આપે છે કે બહેન આવી ગઈ છે. ગોકુલધામ સોસાયટીમાં દયાબેન પગ મુકે છે જે પ્રોમોમાં જોઈ શકાય છે.
મેકર્સે શેર કર્યો પ્રોમો
દયાબેનના પગ જોઈને ફેન્સ સરપ્રાઈઝ થઈ ગયા છે. સાથે જ એક્સાઈટેડ છે કે દયાબેન આખરે શોમાં વાપસી કરી રહી છે. ફેન્સ પ્રોમો જોઈને એમ પણ કહી રહ્યા છે કે આ દયાબેનના પગ છે જે ગોકુલધામ સોસાયટી તરફ આવી રહ્યા છે. જેઠાલાલ, સુંદરને ધમકી આપે છે કે તે તેમની સાથે કોઈ પણ મજાક તો નથી કરી રહ્યોને પરંતુ સુંદરલાલ આ સુનિષ્ચિત કરે છે અને વચન આપે છે કે બહેના હકીકતમાં ગોકુલધામ સોસાયટી આવી રહી છે.
જણાવી દઈએ કે મે મહિનામાં દિશા વાકાણીએ દિકરાની જન્મ આપ્યો છે. તેણે શોને વર્ષ 2017માં ક્વિટ કર્યો હતો. પહેલા દિકરીને જન્મ આપ્યો બાદમાં તેણે દિકરાને જન્મ આપ્યો. ઘણી વખત શોમાં પ્રોડ્યુસર કહી ચુક્યા છે કે તે દયાબેનને પરત લઈને આવશે. પરંતુ આટલી વાતો હોવા છતાં દયાબેન શોમાં પરત નથી આવ્યા.