‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લાંબા સમયથી દિશા વાકાણીના પરત ફરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. સપ્ટેમ્બર 2017થી દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. શોના મેકર્સ અનુસાર, લાંબા સમય સુધી એક્ટ્રેસની રાહ જોયા પરંતુ દિશા પાછી ના આવતા દયાબેનની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યુ કે, દિશા ઇચ્છે તો પાછી આવી શકે છે. હવે સમાચાર છે કે દિશા વાકાણીએ શોમાં પરત આવવા માટે પહેલ કરી છે.
એક રિપોર્ટ અનુસાર, દિશા વાકાણીએ પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સ સાથે સંકળાયેલા એક વ્યકિતનો સંપર્ક કર્યો છે. એટલે આ રીતે એક્ટ્રેસ નિર્માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. જો દિશા વાકાણી શોમાં પાછી આવી તો સીરિયલના ફેન્સ માટે આનાથી મોટી ખુશી બીજી શું હોઇ શકે.
આમ તો દિશા વાકાણી અને નિર્માતા વચ્ચે તકરારનું કારણ એક્ટ્રસના પતિ મયૂર પાડિયાને માનવામાં આવે છે. ઘણા રિપોર્ટ્સ અનુસાર, મયૂરે પ્રોડક્શન હાઉસ સાથે દિશાના શૂટિંગ ટાઇમ અને ફી નક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો. દિશા વાકાણીના પતિનો હસ્તક્ષેપ પ્રોડક્શન હાઉસને પસંદ ન આવ્યો. એટલે જ દિશા અને નિર્માતા વચ્ચે વિવાદ વધ્યો. જો કે પ્રોડક્શન હાઉસે નવા દયાબેનની શોધ શરૂ કતા દિશાના પતિનું વલણ બદલાયુ છે. . તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે દિશાના બદલે દયાબેનનો રોલ કોઇ બીજી હિરોઇન કરશે. એવામાં મયૂર પણ ઇચ્છે છે કે દિશો શોમાં પરત ફરે.
દિશા વાકાણીના રોલ માટે ઘણી જાણીતી એક્ટ્રેસે પ્રોડ્યુસરનો સંપર્ક કર્યો છે. જોકે આસિત મોદીનું કહેવુ છે કે, જો દિશા શોમાં ફરીથી આવવા માગે તો તેના માટે દરવાજા ખુલ્લા છે.નહી આવે તો નવી હિરોઇનની શોધ ચાલુ જ છે. થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે, એક્ટ્રેસ અમી ત્રિવેદી દયાબેનનો રોલ કરી શકે છે.